________________
गुजरातना ऐतिहासिक लेख
નથી એ શોચનીય છે. હું માનું છું કે, તે ગાયકવાડી પ્રદેશમાં આવ્યાં હતાં. દાનપત્રના લેખક અધિકારી માધવ ભદ્રનું નામ કંઈક ઉપયોગી છે. કારણ કે, ઇલાઓનાં દાન પત્ર લેખક માધવનો પુત્ર રેવ હતો. આપણું પતરાંમાં માધવનું નામ આવે છે એ તેનાં ખરાપણની મજબૂત સાબીતી છે.
છેવટે જયભટનાં કાવનાં પતરાં ઉપરના લેખ ઉપરની નોંધમાં મેં જે કહ્યું છે તે ફરીથી અહિ કહીશ, કે - ઉમેટાનું શાસન બહુ ઉપયોગી છે, કારણ કે, ધરસેન ૨ જાનું કહેવાતું વલભીનું બનાવી કાઢેલું એક દાનપત્ર આ મૂળ ઉપરથી કર્યું છે. આ બનાવટી દાનપત્ર બેબે ખેંચ રોયલ એશિયાટિક સોસાયટીની માલિકીનું છે, અને તેની પહેલી નોંધ ડો. ભાઉ દાજીએ લીધી હતી. હું ફક્ત એક વાર થોડી મિનિટ માટે તે મેળવી શક્યો છું. પરંતુ પહેલી જ નજરે મને ખાત્રી થઈ કે તે ઉમેટાના દાનપત્રની બરાબર નકલ હતી અને રાજાઓનાં નામે સિવાય તેમાં કંઈ પણ ફેરફાર કર્યો જણાતે નડે. લિપિ પણું વલભી નહીં, પણ ગુર્જર છે. આ બનાવટી દાનપત્ર કદાચ પ્રાચીન હશે, એટલે વલભીનાં પતરાંઓનાં સનની શરૂવાતની તારીખ નકકી કરવામાં તે ઉપયોગી થાય. કારણ કે, બનાવી કાઢનારે એવા રાજાનું નામ પસંદ કર્યું હતું કે જેને સમય ખરા દાતાના સમયથી બહુ દૂર ન હોય, એવું માની શકાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org