SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૭૧-૧૮૫ આબુગિરિના જૈન લેખો લેખ નં. ૪ થી ૧૮ વિક્રમ સં. ૧૨૮૮ (લેખ ને ૪ થી ૧૮) નં. ૪ થી ૩ર ના લેખે ઉપરથી જણાય છે કે પછીનાં વર્ષોમાં પણ તેજપાલે મંદિરને વધારવાનું તથા શણગારવાનું કાર્ય ચાલુ રાખ્યું હતું. આ લેખો મંદિરની એાસરીનાં કેટલાંક ન્હાનાં યરામાંના મંદિરનાં ઓતરંગે ઉપર કતરેલા છે. તેમાં લખ્યું છે કે તેજપાલે પોતાના કુટુમ્બનાં કેટલાંક માણસેના પુણ્યને અર્થે આ ન્હાનાં મંદિર અને જીને તથા તીર્થકરોની મૂર્તિઓ ઉભાં કરાવ્યાં હતાં. - તેમાં આવતા ઈલકાબ સામાન્ય રીતે જાણવા ગ્ય છે. મદન, ' “મા ”નું ટર્ક ૫ સૌથી વધારે વપરાયું છે. તે ઈલ્કાબ તેજપાલે તથા તેનાં ઘણું ખરાં કુટુમ્બીઓએ ધારણ કરેલ છે. પરંતુ લેખ નં. ૨૪ અને ૨૬-૩૧ માં આવતી વંશાવલીમાં તેજપાલના પૂર્વજો ચપ્ટેપ અને ચડપ્રસાદ, તેને પિતા અશ્વરાજ અથવા આસરાજ અને તેની માતા કુમારદેવી, એઓને “ક” નો ઈલ્કાબ આપે છે, જે “ ને બદલે છે, જ્યારે ચડુપ્રસાદના પુત્ર અને અશ્વરાજના પિતા અને દરેક વેળા “મહ” કહેવામાં આવે છે. આથી સ્પષ્ટ જણાય છે કે આ બે ઈલ્કાબ વચ્ચે કંઈક તફાવત હવે જોઈએ, જે કે આ તફાવત બહુ મોટો નહીં હોય, કારણકે, ચ૭૫ અને અશ્વરાજને લેખ નં. ૩ થી ૮, ૧૦-૧૮, ૨૧-૨૩, અને ૩૨ માં “મ” પણ કહ્યા છે. લેખ નં. ૩ર માં તેજપાલની બીજી સ્ત્રી સુહડાદેવીની માતા સંતોષાને રાજનો ઈલ્કાબ આપે છે. સુહડાદેવીના માતામહ અને પ્રમાતામહને “ક” કહ્યા છે. લેખ નં. ૨૬-૨૭ અને ૩૦ ઉપરથી જણાય છે કે તેજપાલને વડિલ બંધુ વસ્તુપાલ “લંઘપતિને ઈલ્કાબ ધારણ કરતું હતું, કીર્તિકૌમુદી ના ૯ મા સર્ગ ઉપરથી જણાય છે કે તેને આ ઈદકાબ શત્રુંજય, રૈવતક, અને પ્રભાસનાં મોટાં તીર્થોની મહાયાત્રાની વ્યવસ્થા કરી આગેવાની લીધી હતી તે બદલ મને હિતે. આ ઈલ્કાબ સર્ગ ૯ શ્લેક ૧૨ માં આવે છે. તેમાં કહ્યું છે કે, “બી સર્વ જમ્યા પછી તે જમતો, જ્યારે બીજા સર્વ યાત્રાળુઓ ભર ઉંઘમાં આવી જતાં ત્યારે તે ઉંઘતે. નિદ્રામાંથી જાગવામાં તે સૌથી પહેલું હતું. આ રીતે તેણે “સંઘપતિ નું વ્રત પાળ્યું. તેજપાલનાં સ્ત્રીસંબંધીઓને સાત વાર યાને ઈઠાબ લગાડ છે. (લેખ નં. ૪,૧૧,૨૬,૨૭,૨૯-૩૧) નં. ૩૨ માં તેજપાલની બીજી સ્ત્રી સુહડાદેવીનું કુટુંબ જે શાખાનું હતું તે પટ્ટનમાં મેઢ જ્ઞાતિનું હોવાનું આપ્યું છે. જે સાધુઓની માર્તિઓ મૂકેલી છે તે આ છેઃ–જિન સુપાર્શ્વ, (નં. ૧૨ ), મુનિ સુબત (નં. ૨૧), વારિસેણુ (નં. ૨૪), ચન્દ્રાનન (નં. ૨૫ ), શાશ્વત્ જિન ઋષભ (નં. ૩૦) શાશ્વત જિન વર્ધમાન (ન ૩૧ ), અને તીર્થંકર -સીમંધર સ્વામિન્ (નં. ૨૬ ) જિને યુગંધર સ્વામિન્ (નં. ર૭) જિન બાહુ (ન, ૨૮), અને સુબાહુ (નં૦ ર૯) લેખ નં૪–૧૮ માં વિકમ સંવત ૧૨૮૮ છે; નં. ૧૯-૨૩ માં વિક્રમ સંવત ૧૨૯૦ છે; લેખ નં. ૨૪-૨૫ માં વિકમ સંવત ૧૨૯૩ ના ચિત્ર કૃષ્ણપક્ષ ૭ ની તિથિ છે. નં. ૨૬-૩૧ માં વિક્રમ ૧૨૯૩ ના ચૈત્ર કૃષ્ણપક્ષ ૮ ને શુક્રવાર છે. આ વર્ષ કાર્તિકાદિ વિ. ૧૨૯૩ ગત, અને પૂર્ણિમાન્ત” ચિત્ર માટે શુક્રવાર, ૨૦ મી ફેબ્રુવારી ઈ. સ. ૧૨૩૭ ની બરોબર થાય છે. નવ ૩ર માં વિક્રમ સં. ૧૨૯૭ વૈશાખ વદ ૧૪ ગુરૂવાર છે, ને કાર્તિકાદિ વિ. ૧૨૭ ગત અને પૂર્ણિમાન્ત વૈશાખ માટે ગુરૂવાર ૧૧ એપ્રિલ ઈ. સ. ૧૨૪૧ ના બરોબર થાય છે. - ૧ એ. ઈ. વો. ૮ પા. ૨૨૩ થી ૨૨૯ પ્રો. એચ. યુડર્સ. ૨ આ ચાર તીર્થકરોને “વિહરમાણું” એવું વિશેષણ લગાડયું છે. છે. ૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy