________________
आबुपर्वतना जैन लेखो नं. २
१३५ ઉપર કહ્યા મુજબ, તારીખ રવિવાર, ૩ જી માર્ચ ઈ. સ. ૧૨૩૦ ને મળતી આવે છે. લેખમાં બતાવેલાં દેવકુલિકા તથા હસ્તિશાલા, અને નં. ૧ ના લેખમાં લૈંક ૬૧-૬૪ માં લખેલાં બાવન મંદિરો તથા તેજપાલનાં કુટુંબીઓનાં પૂતળાં માટે એરડે, એ એક જ છે.
મંદિરના બાંધકામના વર્ણન પછી વિજયસેનસૂરીએ સમર્પણ કર્યાની હકીકત આવે છે. તેની વંશાવલી પ્રથમના લેખ પ્રમાણે જ છે. હરિભદ્રસૂરિને “શ્રી આણંદસૂરિ તથા શ્રીઅમરચંદ્ર સૂરીએ પદાર્ટરનામુ” કહે છે. આથી એમ જણાય છે કે તેને પટ્ટાભિષેક આ બે સૂરિઓના હરતે થયે હશે.
ત્યાર પછીના ભાગ(૫. ૬-૯)ને આશય “અને આ મંદિર માટે નિમેલા શ્રાવક ટ્રસ્ટીઓનાં નામ નીચે પ્રમાણે છે ” એ મથાળા ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. આંહી કહ્યું છે કે, આ મંદિરમાં સ્નાન, પૂજા, વિગેરે હંમેશને માટે મહૂદેવ, વસ્તુપાલ અને તેજપાલ, એ ભાઈઓએ, તથા તેઓના વંશજોએ, તથા લૂણસિંહની માતા અનુપમદેવીના સર્વ પુરૂષ વંશ તથા તેઓના વંશજોએ કરવાં. આ સ્થળે અનુપમદેવીનું કુટુમ્બ જે ચન્દ્રાવતીમાં રહેતું હતું અને પ્રાગ્રાટ જ્ઞાતિનું હતું, તેની વંશાવલી દાખલ કરી છે.
તે પછીના ભાગ(પં. ૯-૨૫)માં મંદિરના સમર્પણને સાંવત્સરિક ઉત્સવ ઉજવનાના નિયમ આપ્યા છે. તે ઉત્સવ દેને પવિત્ર ચૈત્ર માસના કૃષ્ણ પક્ષ તૃતીયાને દિને શરૂ થઈને આઠ દિવસ સુધી ચાલો જોઈએ. આ ઉત્સવમાં સ્નાન, પૂજા વિગેરે ક્રિયાઓ ચન્દ્રાવતી પ્રદેશના શ્રાવકોએ કરવાની હતી. દરેક દિવસ તે સ્થળની અમુક જ્ઞાતિ માટે મુકરર કરેલ હતું. લેખમાં આવા ઘણા શ્રાવકનાં નામ તેઓના પિતા અને જ્ઞાતિનાં નામો સાથે આપેલાં છે. તેમાંના આશરે અધો પ્રાગ્વાટે હતા; બાકીના સવાલ, અથવા એઈસવાલ, શ્રીમાલ અને થોડા ઘણું ધર્કટો હતા. તેઓનાં નિવાસસ્થાને ઉમ્બરણકી, સરઉલી અને કાસદ, બ્રહ્માણ, ઘઉલી, મહાન તીર્થ મુખ્તસ્થલ, ફિલિણિ, હક્કાઉદ્ધા, ડવાણી, ગડાહડાસાહિલવાડા નામનાં ગામડાં હતાં.
તે પછીના ભાગમાં (પં. ૨૫-૨૬) ઠરાવ્યું છે કે, નેમિનાથદેવનાં પાંચ કલ્યાણિકે, દર વર્ષે મુકરર કરેલ દિવસે ઉલવાડામાં વસતા સર્વ શ્રાવકોએ પવિત્ર અર્બર પર્વત ઉપર ઉજવવાં.
જેઓને મંદિરની સંભાળ રાખવાનું ઑપવામાં આવ્યું હતું તેઓનાં નામ, તે પછીના ભાગમાં (પં. ૨૬-૩૦) આપ્યાં છે – આ પ્રમાણે કરાવ્યું છેઃ ચદ્રાવતીને સ્વામિ શ્રીરાજકુલ સેમેશ્વરદેવ; તેને પુત્ર શ્રીરાજ (કુલ ) કાહ્મદેવ, અને બીજા રાજાઓ, ચદ્રાવતીના સ્થાનપતિ ભટ્ટારકે કવિલાસ ગુગલી બ્રાહ્મણ, બધા વેપારી દ્રષ્ટીએ; સર્વ મનુષ્ય જેવા કે, સ્થાનપતિઓ, સાધુઓ ગુગલી બ્રાહ્મણે રાોિ અને બીજાઓ જેઓ અબુંદ પર્વત ઉપરનાં અચલેશ્વર અને વસિષ્ઠનાં પવિત્ર મંદિરોમાં તથા પાડોશનાં ગામડાં જેવાંકે દેઉલવાડા. શ્રીમાતામહબુ, આબુ, રાસા, ઊતરછ, સિહર, સાલ, હેઠાઉંજી, આખી અને કેટલી જે સાધુ ધાંધલેશ્વરદેવનું છે, તે અને બીજાં-બધાં મળી બાર ગામડાંઓમાં નિવાસ કરી રહ્યા છે તેઓ;-વળી ભાલિભાડામાં વસતા સર્વ પ્રતીહારોના વંશજ રાજપુત્ર વિગેરેએ નેમિનાથદેવનાં પવિત્ર મંદિરના ઓરડામાં એક પછી એક બેસીને દરેકે પોતાની ઇચ્છા અને આનંદ સહિત, મહં(ત) શ્રી તેજપાલ પાસેથી, આ પવિત્ર લણસીહવસન્ડિકા નામના મંદિરની સંભાળને ભાર ઉપાડી લીધે છે, તેથી તેઓના આ વચનને અનુસરીને તે સર્વે તેમ જ તેઓના વંશજો એ યાવતુ ચંદ્ર દિવાકર આ મંદિરની સંભાળ રાખવાની છે. કારણ
૧ ફેબસની રાસમાળા પા. ૬૪ પ્રમાણે કાસદ હાલનું “કાસિક-પાલડી” અમદાવાદ પાસે આવેલું ગામ છે. જાઓ ખૂહર, એ. ઈ. ૧, ૧ ૫. ૨૨૯ ૨ પાંચ કલ્યાણિક-નેમિનાથ દેવનું ગર્ભ માં આવવું, જન્મ, દીક્ષા ધારણ ફરવી, જ્ઞાન પ્રાપ્ત થવું અને મુક્તિ થવાની સંવત્સરીએન શિવસે, ૩ કવિલાસ કદાચ વિશેષ નામ હોવાને સંભવ હોય.
છે. ૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org