________________
आबुगिरिना जैन लेखो नं. १
१२१ સરસ્વતી અને ગણેશની સ્તુતિ પછી પ્રથમ તેજપાલના વંશનું વર્ણન આવે છે. તેઓનું જન્મસ્થાન ચાલુક્ય રાજાઓનું નિવાસસ્થાન અણહિલપુર શહેર હતું. વંશને પૂર્વજ ચડપ હતે. તેને પુત્ર ચડપ્રસાદ અને તેને પુત્ર સેમ હતે. સોમને પુત્ર અધરાજ હતા, અને તેની સ્ત્રી કમારદેવી હતી. તેઓને અગિઆર સંતાન હતાં. ચાર પુત્રો– લગિ જે યુવાવસ્થામાં જ મરી ગયો હતો, મવેદેવ, વસ્તુપાળ અને તેજપાલ; અને સાત પુત્રીઓ- જાહૂ, મઊ, સાથે, ધનદેવી, સાહેગા, વયજુકા, અને પદમલદેવી. તે કુટુંબ જૈન ધર્મ પાળતું હતું અને પ્રાગ્વાટોના વંશનું હતું. ચારે ભાઈઓને મંત્રિ, (સચિવ ) કહ્યા છે. વસ્તુ લ ચાલુકોની સેવા કરતે એવું ચામું કર્યું છે. વસ્તુપાલ અને તેજપાલ, આના વચ્ચે શુદ્ધ બંધુભાવ હોવાનું જણાય છે, તેઓનાં ખાસ વખાણ કર્યા છે, પરંતુ આ કલોકેમાં કંઈ અંતિડાસિક સૂચન નથી.
મંત્રિઓ પછી તેઓના રાજાઓ, ચૌલુક્ય નું વર્ણન આવે છે. આમાં ફકત કહેવાતા વાઘેલા વંશના વંશજ વર્ણવ્યા છે. જેવાકે -અર્ણરાજ, તેના પછી લવણ પસાદ, તેને પુત્ર વિરધવલ. વસ્તુપાલ અને તેજપાલે કરેલી વીરાવલની સેવાનાં, તલા આ રાજાએ પૂર્ણ વિશ્વાસથી તેઓના સ્નેહને બદલે વાળ્યો હતો તેનાં વખાણના બે લેકે ( ૨૮, ૨૯) ઉમેરેલા છે.
તે પછી અશુચિન્તવ્યું જ અબુંદ પર્વત, એટલે હાલના આબુ પર્વતનું વર્ણન શરૂ થાય છે. અને તે પછી તેવી જ અસંબદ્ધ રીતે ચંદ્રાવલીના પરમારની વંશાવલી શરૂ થાય છે. આ લે કે આંહિ દાખલ કરવાનું કારણ એ છે કે, તેજપાલે આ મંદિર આબુ પર્વત ઉપર બંધાવ્યું હતું અને આ પર્વત પરમારના રાજ્યની હદમાં આવ્યો હતો. આ કારણું લેખના અંત ભાગમાંથી જ જણાય છે. પરમારનું વર્ણન તેઓની ઉત્તિ વિષેની દંતકથાથી શરૂ થાય છે. તેઓનો મૂળ પુરૂષ જેના ઉપરથી તેઓએ પિતાનું નામ ધારણ કર્યું હતું, તે વસિષ્ઠના યજ્ઞમાંથી ઉપ્તન્ન થયે હત અને પિતાના શત્રુઓને નાશ ( Gર -માળા ) કરવામાં આનંદ માનતે હોવાથી તે ઋષિએ તેને પરમાર નામ આપ્યું હતું, એમ કહેવાય છે, તે વશમાં પ્રથમ ધમરાજ થયા. અને તેના પછી ધન્ધક, ધ્રુવ ભટ અને રામદેવ સુધી અન્ય રાજાઓ થયા. રામદેવથી સળગ વંશાવલી શરૂ થાય છે, જે નીચે પ્રમાણે છે:--
રામદેવ
યશાધવલ
|
ધારાવર્ષ
પ્રદ્વાદન
સામસિંહદેવ
કૃણરાજદેવ,
આ વંશાવલી ઉપરાંત લેખમાં ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયોગી કેટલીક હકીકત અપાયેલી છે. થશે ધવલે જ્યારે જાણ્યું કે માળવાને રાજા બ૯લાલ ચૌલુકય રાજા કુમારપાલને શત્રુ થયો છે ત્યારે તેણે તેને તરત જ મારી નાંખ્યો હતો, એમ કહ્યું છે. કના શબ્દોમાંથી આપણે એમ માની શકીએ કે વિક્રમ–સંવત ૧૨૬૫ ના આબુ પર્વતના લેખમાં યશોધવલના પુત્ર ધારાવર્ષને કુમાર પાલના ભત્રિજા ભીમદેવ ૨ જાના ખડીયા રાજા તરીકે વર્ણવ્યા છે તેવી જ રીતે યશોધવલ કુમારપાલન ખંડીયે રાજા હતા. એટલે બીજે સ્થળે કુમારપાલે તે બલાલને નાશ કર્યો એમ કહ્યું છે તેમાં કંઈ નવાઈ નથી. સેમેશ્વરની છે કીર્તિક મટી » માં કહ્યું છે કે, કુમારપાલે આવેશને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org