SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૧૨–૧૧૩ દદ ૨ જે અથવા પ્રશાતરાગનાં બે દાનપત્રો | (ચેદી) સંવત ૩૨ વૈશાખ સુદ ૧૫ દાનપત્રને આશય સૂર્ય બ્રાહ્મણને તેના યોના ખર્ચ માટે– સંગમખેટક વિષયમાં બે ખેતર, એક સુવર્ણારહિલ (નં. ૧) અને એક ક્ષીરસ૨( નં. ૨ )માં આપવાનું છે. આ લેખમાંથી ભરૂચના ગુર્જરીના ઇતિહાસ માટે વસ્તુલાભ અપમાત્ર છે. તેમની તિથિ (ચેદિ) સંવત ૩૨ વૈશાખ પૂર્ણિમા જણાવે છે કે દ૬ ૪. પ્રશાન્તરાગે ઈસ્વી સન ૬૪૧-૪૨ સુધી તે રાજ્ય કર્યું જ. અને મી. ધ્રુવની ધારણા પ્રમાણે (ચેદિ) સંવત ૩૯૧ નું સંખેડાનું દાનપત્ર ખરેપર શ્રી દના રાજ્યમાં અપાયું હતું. તેને દાતા રણુગ્રહ, શ્રી વીતરાગને પુત્ર, જેને મી. ધ્રુવ ખરી રીતે આપણું દદુને ભાઈ લખે છે, તે તેના ગરાસ તરીકે કેટલાંક ગામને બહુધા માલિક હતે. વળી આ બે લેખો જણાવે છે કે ગુજનું રાજ્ય ખાનદેશ અને માલવાની સરહદ સુધી પ્રસરેલું હતું. જે નગરને પાછળ સંગમખેટક વિષય નામ અપાયું તે નગર નિઃસંશય હાલનું સંખેડા છે. શબ્દડ્યુત્પત્તિ પ્રમાણે સંગમ ખેટક એટલે બે નદીઓના સંગમ પરનું ગામ છે, અને ઉન્ડ અને ઓર સંખેડા સમીપમાં મળે છે. સંગમ ખેટક વિષય કદાચ ગાયકવાડના તાબાનો સંખેડા પ્રાંત તથા હાલ પણ સંખેડા મેવાસ કહેવાતે રેવાકાંઠા એજન્સિને નજીકન ભાગ હોય. આ બે જીલલાના નામનું કંઈ અંશે મળતાપણું સૂચવે છે કે એક સમયે સંખેડા નામના રાજનગરવાળા એક મોટા પ્રાન્તમાં તેઓ હતા. આ જીલ્લાના ત્રિકોણમિતિ માપણીના નકશા મને મળે તેમ નથી, તેથી બે દાનપત્રમાં જણાવેલાં અટવીપાટક, કુકકુટવલિકા, ક્ષીરસર અને સુવણરપલિલ ગામોના અભિજ્ઞાન( ઓળખ)થી મારો ઉપલો મત પૂર્ણ સાબિત કરવા અશક્ત છે. પણ મારી પાસે ગુજરાતને જૂને નકશે છે તે સૌકેરા( સંખેડા )ના અગ્નિકેણમાં કૂદેયલી (કુદેલી) ગામ, જેનું નામ કુકકુટવલિલ સાથે મળે છે તે બતાવે છે. દાન લેનાર પુરૂષ બ્રાહ્મણ સૂર્ય, ક્ષીરસરમાં વસનાર, ભારદ્વાજ ગોત્રને, શુકલ યજુર્વેદના માધ્યદિન સબ્રહ્મચારી, દશપુર જે હાલનું પશ્ચિમ માલવાનું મન્દર છે ત્યાંથી આવેલ છે. દશપુરના ચતુર્વેદિઓનું મંડળ ધ્રુવસેન ૨ ના શક સંવત ૪૦૦ ના કૃત્રિમ દાનપત્રમાં જણાવેલું છે અને દશપુરના બ્રાહ્મણ જ્ઞાતિના એક પુરૂષે મેકલ અને મેવાડના ચીતડગઢના લેખ રસ્યા છે. હાલમાં દશપુરીઆ બ્રાહ્મણે ગુજરાતમાં નજરે પડતા નથી. દાનનો લેખક સાધિવિગ્રહિક રેવ છે, જેને આપણે ખેડાનાં દાનપત્રો પરથી જાણીએ છીએ અને દંતકનું નામ, કર્ક દાનપત્ર નં. ૨ પક્તિ ર૭ માં નવું છે. તેને જોગિક પાલકને ખિતાબ જે શબ્દાર્થ પ્રમાણે ભગિકોને પાલક અથવા જેને સાંકેતિક અર્થ મને જાણીને નથી તે સંવત ૩૯૧ ના સંખેડા દાનપત્રમાં પણ આવે છે, જ્યાં પ્રતિકૃતિમાં પંક્તિ ૯ માં મી. ધ્રુવ વાંચે છે તેમ ભગિક-પાલકટુ-જ્ઞાન નહીં, પણ દૂતકાત્ર ભગિક-પાલક-દુજજાન છે. જી. બ્યુલહર ૨ એ છે. વો. ૨ પા. ૨૧ ૩ ઈ. એ. વ. ૧૦ ૫. ૨૮૭ ૧ એ. ઈ. . ૫ ૫. ૩૦-જ એ. ઈ. . ૨ પા. ૪૨૦ ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy