________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર–સાર રૂપે. પ્રમાણે રાજાવલી” એમ પૂર્ણ વંશાવલી ભીમદેવ ૨ જાના વિક્રમ સંવત ૧૨૬૬ ના દાનપત્રમાં આપી છે તેને ઉલલેખ કરીને લેખ આગળ જણાવે છે કે –
–૯૩ માં વર્ષના (પંક્તિ ૧) ચૈત્ર, શુકલપક્ષ ૧૧ ને રવિવારે આજે અહીં પ્રસિદ્ધ અણુહિલ્લ પાટક શહેરમાં મહારાજાધિરાજ, શ્રીમાન ભીમદેવ બીજે (૧,૩) કચ્છ મડલ, જેને તે ઉપભાગ કરે છે ત્યાંના સમસ્ત રાજપુરૂષ અને બ્રાહ્મણોત્તર સમસ્ત પ્રજાને જાહેર કરે છે કે –
“ તમને જાહેર થાઓ કે આજે સંક્રાન્તિના ઉત્સવમાં (૧૫) ભગવાન્ ભવાનીપતિ શિવની, જ અને ચેતનના એ પિતાની પુજા કરીને સહસચાણા (૧,૭) ગામમાં વાપીપટકમાં પિલાણાવાળી ભૂમિમાંથી એક હલવાહા ભૂમિ આ દાનપત્રથી પ્રસન્નપુર સ્થાનથી આવેલા વત્સર્ગાત્રના દાદરના પુત્ર ગોવિંદને આપી છે.
આ ભૂમિની સીમા (૧૮) – પૂર્વમાં બ્રાહ્મણ દાદરના કબજાને વાપી પટક; દક્ષિણે વેકરિયા ગામનાં ખેતરો; પશ્ચિમે મહત્તર કે મહત્તમ કેશવની માલિકીને વાપી અને ઉત્તરે એક માર્ગ છે.
[૧૧ થી ૧૪ પંકિતમાં દેનાર ભાવિરાજાઓને દાન ચાલુ રાખવા આજ્ઞા કરે છે. અને ભાગવાન વ્યાસની કૃતિના ચાલ આશીર્વાદાત્મક અને શાપ આપનારા લેકમાંથી એક શ્લોક ટાંકે છે જેની સમાપ્તિ ૧૪ પંક્તિમાં “ઈતિ” શબ્દથી થાય છે.]”
૧૪થી૧૬ પંકિતઓ આપે છે કે દાનપત્ર કાંચનના પુત્ર કાયસ્થ વટેશ્વરથી લખાયું હતું. અને દૂતક મહાસાંધિવિગ્રહિક ચપ્પશર્મા હતે.
લેખ “ શ્રીમાન ભીમ દેવના” એવા તે રાજાના સ્વહસ્તને લગતા શબ્દોથી સમાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org