SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ નં ૧૫૪ જૂનાગઢમાં ભૂતનાથના મંદિરમાં રાજા કુમારપાલના સમયનો શિલાલેખ. વલભી સંવત ૮૫૦ (વિ. સં. ૧રરપ ઈ. સ. ૧૧૬૯) આ લેખ કઠણું કાળા પત્થર ઉપર કતરેલો છે. તેની સપાટીનું માપ ૨૦ કુટ૮૧૨ ફુટ છે. જૂનાગઢના પ્રતિષ્ઠિત નાગર બ્રાહ્મણ મી. નૃસિંહપ્રસાદ હરિપ્રસાદે બંધાવેલા ભૂતનાથન શિવમંદિરમાં તે હાલ રાખે છે. પરંતુ તેમાં લખ્યું છે કે, ધવલની પત્નિએ બે શિવમંદિરે બંધાવ્યાં હતાં અને તેના પિષણ માટે એક ગામ દાનમાં આપ્યું હતું. આ ધવલ, કદાચ આગળના લેખમાં જણાવેલે, કુમારપાલ રાજાને મંત્રિ યશોધવલ હશે. લેખને મધ્ય ભાગ ધણેખરે નાશ પામ્યો છે અને તે ભાગના અક્ષરો તદન ભંસાઈ ગયા છે. તેમાં એકંદરે હાલની દેવ, નાગરી લિપિમાં લખેલી સંસ્કૃતની ૩૪ પંક્તિઓ છે. તેમાં આપેલી તારીખ જાણવા જેવી છે કારણકે તેમાં બે જૂદા સંવતે આપ્યા છે એક, વલ્લભી અને બીજે સિંહ પહેલા સંવતનું વર્ષ ૮૫૦ બીજાના વર્ષ ૬૦ ને મળતું આવે છે, અને બન્ને ઈ. સ. ૧૧૬૯ ને મળતાં આવે છે. ૧ પ્રા. સં. ઈ. પા. ૧૮૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy