________________
નં. ૧૪૫ માંગરોળમાંની સાઠડી વાવમાંને શિલાલેખ
વિ. સં. ૧૨૦૨ આશ્વિન વદિ ૧૩ કાઠિયાવાડમાં પ્રાચીન શહેર પૈકીના એક માંગળ નામે ગામમાં ગાદિ દરવાજેથી પસતાં હાબી બાજુની શેરીમાં એક વાવ છે. તે વાવમાં ઉતરતાં જમણી બાજુની દિવાલમાં ચણી લીધેલ એક પત્થર ઉપર આ શિલાલેખ છે. પત્થર સખ્ત કાળ છે અને તે સુરક્ષિત છે. તેનું માપ ૧૮ ઇંચ ૧૫ ઇચ છે અને તેમાં ૨૪ પંક્તિમાં દેવનાગરી લિપિમાં શ્લોકે લખેલા છે.
તેમાં લખેલ છે કે અણહિલપુરમાં કુમારપાળ રાજ્ય કરતે હો ત્યારે શ્રી સહારને પૌત્ર અને સહજીગને પુત્ર ગોહિલ મલક નામે રાજા રાજ્ય કરતા હતા. તેણે પોતાના બાપની યાદગીરિમાં સહજીગેશ્વર નામનું દેવળ બંધાવ્યું અને જકાતમાંથી કેટલીક ઉપજ તેને અર્પણ કરી. ચોરવાડના મહાજને પણ દેગુઆ નામની વાવ મંદિરના ઉપયોગ માટે આપી. ચોરવાડથી વિસણવેલિ ગામ જતાં રસ્તા ઉપર આ વાવ છે.
તેમાં વિ. સં. ૧૨૦૨ સિહ સં. ૩ર આપેલ છે.
૧ ભા. પ્રા. સં. ઈ. ૫, ૧૫૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org