SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ मूलराजनुं दानपत्र ભાષાન્તર ૐ ! રાજાવલી પહેલાં ( મા ) રાજહંસ જેમ બન્ને વિમલ પક્ષવાળા, સુખનું સ્થાન હાવાથી કમલાશ્રયી બ્રહ્મા સરખા, નિજ પ્રભાવથી પૃથ્વી પ્રાપ્ત કરી એક પગલે પૃથ્વી માપનાર વિષ્ણુ જેવા, કૈલાસનિવાસી ત્ર્યંબકને ગિરિનિવાસી હાઈ મળતા, ઇન્દ્ર જેમ વિષ્ણુધ (પ્રજ્ઞ ) જનાને અનુરંજતા, કલ્પતરૂ માફક આશ્રયીઆને વાંચ્છિત ફલ આપનાર, બ્રહ્માંડમાં મેરૂ પર્વત મધ્યસ્થ છે તેમ સર્વદા મધ્યસ્થ, સાગર જેમ સત્ત્વાશ્રયી, મેઘ માફ્ક સર્વ પ્રાણી તરફ દયાળુ, ભીંજાયેલી સૂંઢવાળા ઐરાવત માફ્ક દાન માટે પાણીના અધ્યેથી ભીંજાયેલા હાથવાળા, ચૌલુકય કુળન, નૃપેશ શ્રી રાજિના પુત્ર, નૃપાધિરાજ શ્રી મૂત્રરાજ જેણે બાહુબલથી સરસ્વતી નદીથી સિંચન થએલા પ્રદેશ જિત્યો હતા, તે ( મૂલરાજ )ક બાઇક ગામમાં માઢેરના અધૂંષ્ટમમાં વસતા સર્વે રાજપુરૂષા અને બ્રાહ્મણેત્તર સર્વ પ્રજાને આ પ્રમાણે જાહેર કરે છે.—— Jain Education International 1224 તમને જાહેર થા કે મારી રાજધાની પ્રસિદ્ધ અણહિલપાટકમાં રહી, સૂર્યગ્રહણને દિવસે શ્રીસ્થલકમાં સરસ્વતી નદીના પૂર્વ ભાગમાં સ્નાન કરી, દેવપતિ રૂદ્રમહાલયનીર પૂજા કરી, સંસારની અસારતાનું ચિંતન કરીતે, જીવન કમલપત્ર પરના જબંદુ જેવું અસ્થિર માનીને અને પુણ્યકર્મનું ફૂલ પૂર્ણ સમજીને, મારા તથા મારા માતાપિતાનાં પુણ્ય અને યશની વૃદ્ધિમાટે ઉપર જણાવેલું ગામ તેની સીમા પર્યંત, કાઇ, તૃણુ અને જલ સહિત, ગેાચર સહિત, અને દશ અપરાધના દંડના હક્ક અને તેવાં કૃત્યાના નિર્ણય કરવાની સત્તા સહિત, મેં વહિં વિષય( જીલ્લા )માં મણ્ડલીમાં વસતા શ્રીમૂલનાથ દેવને, દ્વાનને શાસનથી અનુમતિ આપી, પાણીના અર્ધ્ય સાથે આપ્યું છે. ११ આ જાણી ત્યાં વસતી સર્વ પ્રજા, અમારી આજ્ઞાને ધ્યાનપૂર્વક પાળીને, ઉત્પન્નના ભાગ, વેરા, સુવર્ણ આ≠િ સર્વ તે દેવને અર્પણ કરશે. અમારા વંશજોએ અથવા અન્ય નૃપાએ દાનનું પુણ્યફૂલ સર્વ નૃપાનું સામાન્ય છે તેમ માની, આ ધર્મજ્ઞાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું. આને માટે ભગવત વ્યાસે કહ્યું છે કે કાયસ્થ જેજ્જના પુત્ર કાંચનથી આ દાનપત્ર લખાયું છે. સંવત ૧૦૪૩, માઘ વદી ૧૫ રવિવાર, શ્રી મૂલરાજના સ્વહસ્ત. ... ... ... ... For Personal & Private Use Only ૧ ગાયકવાડી ઉત્તર મહાલેામાં મેઢેરાથી વાયન્ય ખૂણામાં આવેલું નવું કસ્માઈ. ૨ સિદ્ધપુરમાં મૂલરાજના ‘ રૂદ્રમાલા ’ મંદિરના હાલના નામનુ આ દ્વેખીતી રીતે મૂળ નામ છે. તેના અથ રૂદ્ર એટલે શિવના મહેલ એમ થાય છે. ૩ મંડલની મારી છેલ્લી મુલાકાતમાં આ એક વખતના સુવિખ્યાત મંદિરની શોધમાં ફોકટ ફાંફાં માર્યાં. તેમ વારંવાર દાનપત્રામાં જણાવેલા તેની સાથેના આશ્રમની નિશાની પણ મળી નહીં. આવુ` મંદિર હતુ. તે ખાખત કાઈ પણ માણસે સાંભળ્યું હાય એમ જણાતુ નથી. છેવટે એક બુદ્ધિશાળી ભાટે સૂચના કરી કે મંડલને પૂર્વે બે માઈલ ઉપર મેલુ કા–કુઆનામના એક કૂવો છે તેની નજીક કદાચ તે મંદિર હશે અને મેલુ એ મૂલરાજનું અપભ્રંશ નામ હરો. હું કહીશ કે તેના અર્થ · ખારાશવાળુ` ' એમ થાય છે. મારી માન્યતા પ્રમાણે જે તળાવ પાસે ધણા શિલા લેખા ઉભેલા છે તે તળાવ પાસે જ દક્ષિણમાજીએ આ મંદરની હસ્તિ હતી. ૪ વિદ્ધુએ ‘વધિઆર' વઢિયારના પર્યાય છે કે જે પ્રાચીન અને હાલનું નામ ઝીંઝુવાડાથી રાધનપુર વચ્ચેના ક્રુચ્છના રણની પડોશના પ્રદેશનુ છે, ले. ५६ www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy