SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख અપાએલાં જુદાં જુદાં ગામે તેમ જ વીલસનના લેખે નં. ૧૬ ઈ. સ. ૧૨૦૮-૯ નામાં તેમ જ નં. ૪ ઈ. સ. ૧૨૭૦–૩૧ નામાં જે વર્ણન મળે છે તે ઉપરથી તે ગુજરાત તેમજ આબુ પ્રદેશમાં લાંબા વખ્ત સુધી સર્વોપરી સત્તા ભેગવતે હતો એમ પૂરવાર થાય છે. બીજી તરફથી લવણુપ્રસાદ અને વિરધવલને મહારાજા અને મહારાજાધિરાજ લખ્યા છે. લવણુપ્રસાદ સ્વતંત્ર થયાની તારીખ વસ્તુપાલના ગિરનારના લેખમાંથી મળે છે, કારણ કે તે વિ. સં. ૧૨૭૬ પછી પિતાની સીલ વાપરતા હતા. તેઓએ ધોળકા ધંધુકા ઉપરાંત ખંભાત, લાટ અને ગોધરા ચાલુ પાસેથી બચાવી લીધાં, એમ સોમેશ્વર લખે છે. કાઠિયાવાડ ત્યાંના સ્થાનિક સુબાના હાથમાં ગયું અને પ્રબન્ધકેશમાં વઢવાણના રાજા વીરધવલ સાથે લડતે વર્ણવે છે. ગુજરાતના બધા ગ્રંથકારો ભીમદેવથી ચાલુક્યવંશ સમાપ્ત થયાનું માને છે. લેખ . ૧૦ માં ત્રિભુવનપાલને વિ. સં. ૧૨૯ માં રાજ્ય કરતે વર્ણવ્યો છે. પણ તેના ટૂંકા સમયને લીધે તેને રાજા તરીકે ગણ્ય લાગતું નથી. મેરૂતુંગે પણ વિચારશ્રેણીમાં લખ્યું છે કે વિરધવલને દીકરો વીસલદેવ વિ. સ. ૧૩૦૦માં ચાલુક્યની વાઘેલા શાખાને પહેલો રાજા થયો. વીસલદેવ વાઘેલાના ઈતિહાસ સંબંધી રાજશેખર અને હર્ષગણિ લખે છે કે વિરધવલ વિ. સ. ૧૨૯૫-૯૬ માં ગુજરી ગયે. તેને બે દીકરા હતા વીરમદેવ અને વિસલદેવ. મોટાએ એક વાણીયા ઉપર જુલમ કરીને પોતાના પિતાની તેમજ મંત્રી વસ્તપાલની ઈતરાજી બહારી હતી તેથી તેને વીરમગ્રામ(વીરમગામ)માં કાઢી મૂક હતો. પિતાના બાપની ગંભીર માંદગીની ખબર પડવાથી તે ઘેલકા રાજ્ય લેવા આવ્યા; પણ વસ્તુપાલ બહુ જોરદાર લેવાથી વીસલદેવને ગાદીએ બેસાર્યો અને વીરમને ગામમાંથી નાસી જવાની ફરજ પાડી. તેણે બંડ ઉઠાવ્યું અને હાર્યો તેથી પોતાના સસરા જાબાલિના રાજા ઉદયસિંહની મદદ માગી, પણ વસ્તુપાલે તેને દગલબાજીથી મરાવી નાંખ્યા. વીસલદેવે નાગડ નામના બ્રાહ્મણને મહામંત્રી નીમ્યા અને બન્ને ભાઈઓ( વસ્તુપાલ તેજપાલ )ને નીચેની પદવી આપી. તેઓને બહુ અપમાન સહન કરવું પડ્યું. સોમેશ્વરે તેને બચાવી લીધા હતા. થોડા સમય પછી રાજાના મામા સિંહે વરતુપાલના ગુરૂ યતિને માર્યો, તેથી વસ્તુપાલે તેના રજપૂત નેકર મારફત તેને હાથ કપાવી નાંખે. આથી જેઠવાઓએ મંત્રીને સહકુટુંબ મારી નાંખવાને ઠરાવ કર્યો. સેમેશ્વરે ફરી સમાધાન કરાવ્યું. દેવગિરિના યાદવ રાજા સિંઘણે વિરધવલ ઉપર ચઢાઈ કરી હતી (કીર્તિકૌમુદી સ. ૪). માલવાને પૂર્ણમલ પણ ચડી આવ્યું હતું. મેદપાટ (મેવાડ)ના રાજાને પણ સોલંકીના દુશ્મન તરીકે વર્ણવ્યા છે. કર્ણાટના રાજા એટલે કે ઘણું કરીને હારસમુદ્રના બદલાલ યાદવની દીકરીના સ્વયંવરમાં ફત્તેહમંદ થયે હતું, એમ પણ લેખમાં વર્ણન છે. મેરૂતુંગ અનુસાર વિસલદેવે વિ. સં. ૧૩૧૮ સુધી રાજ્ય કર્યું અને તેની પછી નીચેના રાજાઓએ રાજ્ય કર્યું. અર્જુનદેવ .વિ. સં. ૧૩૮-'૩૩૧= ઈ. સ. ૧૨૬૧-૬૨ થી ૧ર૭૪-૭૫ સારંગદેવ ... , ૧૩૩૧-૧૩૫૩= = ૧ર૭૪-૭૫, ૧૨૯-૦૭ કર્ણ ઘેલો • , ૧૩૫૩-૧૩૬ = = ૧ર૯૬૯૭ ૧૭૦૩–૪ અર્જુનદેવને સેમિનાથ પાટણને ઈ. સ. ૧ર૬૪-૬૫ નો અને કચ્છ વિ. સ. ૧૩૨૮= ૧ર૭૧-૭૨ લેખ મળેલા છે અને સારંગદેવને આબુ ઉપરના વસ્તુપાલ ઈ. સ૧૨૯૪ ને લેખ મળેલ છે તેથી મેરૂતુંગની તારીખેનું સમર્થન થાય છે. ઈ. સ. ૧૩૦૪ માં ગુજરાત મુસલ. માનોના હાથમાં ગયું, એ નિર્વિવાદ છે. ૧ એસીઆટિક રીસચીઝ છે. ૧૬ ૫. ર૯૯-૩૦૧ ૨ મેદ મેડ એટલે કે મેરને મુલાક, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy