________________
गुजरातना ऐतिहासिक लेख
(પ. ૪૨ ) તમને જાહેર થાઓ કે –માન્ય ખેટ રાજનગરમાં સદા વસનાર, જે દેવોના ઉપભેગનાં અગ્રહાર દાન જેકે પૂર્વના નૃપેથી વિઘવાળાં થતાં હતાં છતાં તેનું રક્ષણ કરનાર અને નિત્ય નમસ્ય ગ્રામોનાં અસંખ્ય શાસનપત્ર આપનાર મારાથી, મારાં માતપિતા અને મારા પુણ્ય યશની વૃદ્ધિ માટે શકનૃપના કાળ પછી આઠસો પંચાવન સંવતમાં ( સંખ્યામાં ) ૮૫૫ સંવતમાં શ્રાવણ પૂર્ણિમા ને ગુરૂવારે પૂર્વા-ભાદ્રપદ નક્ષત્ર નીચે ચાલુ વિજય સંવત્સરમાં રામપુરી ૭૦૦ માં આવેલું લેહાગ્રામ ગામ વૃક્ષની હાર સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, અપરાધ અને દશ અપરાધના દડ અને શિક્ષા સહિત, અને ભૂતપાત પ્રત્યય સહિત, સૈનિકેના પ્રવેશમુક્ત .. .. ... બ્રહ્મદાયના નિયમ અનુસાર નમસ્ય દાન તરીકેના ઉપગ માટે, ચન્દ્ર અને સૂર્યના અસ્તિત્વ કાળસુધી પુણ્ડવર્ધન નગરથી આવેલા, દાદર ભટ્ટના પુત્ર, કૌશિક ગેત્રના, વાજિકા સબ્રહ્મચારી કેશવ દિક્ષિતને પાણીના અતિ અઘંથી અપાયું છે, તેની સીમા – પૂર્વે ઘડેગ્રામ ગામ; દક્ષિણે વાગજુલી ગામ; પૂર્વ વિશ્ચ વિહરઝ (?) ગામ અને ઉત્તરે– સેગ્નેહી ગામ.
(પ. પર) જ્યારે કેશવ દીક્ષિત આ ચાર સીમાવાળું લોહગ્રામ ગામ ખેડતો હોય અથવા ખેતી કરાવતો હોય; ઉપભેગ કરતા હોય અથવા અન્યથી ઉપભોગ કરાવતો હોય, ત્યારે તેમાં તેને કેઈએ કંઈ પ્રતિબંધ કરવો નહીં. આ મારા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ નૃપાએ લક્ષ્મી પવનથી ધીમે ક્ષુબ્ધ થએલાં જલના તરંગો સમાન ચંચળ છે અને જીવિત શરદ ઋતુના મેઘ સમાન અનિત્ય છે અને ભૂમિદાનનું ફળ (દેનાર અને ચાલુ રાખનારને) સામાન્ય છે, એમ માની અનુમતિ આપવી અને રક્ષણ કરવું. | ( પ. પ૫) અને રામમઢે કહ્યું છે કે –“આ ધર્મ નૃપેને સામાન્ય સેતુ સદા તારાથી રક્ષા જોઈએ.” આમ રામભદ્ર પુનઃ પુનઃ સર્વ ભાવિ નૃપને પ્રાર્થના કરે છે. ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે, પણ તે જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે.
તેના પિતાનાથી અથવા અન્યથી દેવાએલી ભૂમિ જે હરી લે છે તે શ્વાનની વિષ્ટામાં કરે જમે છે અને તેના પૂર્વ સહિત સંતાપમાં રંધાય છે. કંજુસાઈથી આ પવાથી અને દીધેલું જપ્ત કર્યાથી જન્મથી આપેલું સર્વે અફલ થાય છે. ભૂમિદાન દેનાર બ્રહ્માના જગમાં સહસ્ત્ર કરેડ અને શત કરેડ ક૯૫ વસે છે, અખિલ જગની ઉન્નતિ થાઓ. # શિવને નમન !
અને રામમકે કહ્યું છે કે
જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org