SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ १५२ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર ! સૃષ્ટિની રચનાની પૂર્ણતાથી પ્રસન્ન થયેલા આત્માવાળા બ્રહ્માનાં-સરસ્વતિને આનન્દદાયી મધુર સામ ગીતા વિજયી છે ! (૫ ૧) તારા ચક્ર જેવા કમળથી આવૃત ગગનસરવરના પદ્મિનીના રાજહંસમાંથી, ત્રિભુવનમાં મહારાજ મદનના ઉજ્જવળ શ્વેત છત્રમાંથી લાવણ્યમાં પયાધિ સમાન, શ્રુતિમાં રૂપાના ગિરિ સમાન, દિગ્વધુનાં કુડલમાંથી, ઇન્દુમાંથી, ત્રિભુવન કમળના આવાસ સ્થાન હોવાનાં યશ સંપન્ન કુળ ઉદ્ભવ્યું. ( પં. ૪) તે કુળમાંથી પૃથ્વીપર સાગર સમાન, શ્રુતિના કુળગૃહ સમાન, મહિમાના ધામ સમાન, ધૈર્ય, અતિ અભ્યુદય, અને ચાતુર્યના ક્રીડાસ્થાન સમાન, આશ્રય માટે આવેલાં સર્વ પ્રાણીઓનું રક્ષણ કરી યશ પ્રાપ્ત કરનાર યદુવંશ ઉત્પન્ન થયેા. (પં. ૫) યદુવંશના નિર્મળ નભમાં શત્રુમંડળને નમાવનાર ઇન્દુ સમાન કળાવાળા, સર્વ મનારથ વિસ્તારવાળા અને મહાન યશથી પૂર્ણ કરનાર દન્તિદુર્ગનૃપ પ્રગટયે ( હૈં. ૭ ) પછી સૂર્ય મેરૂના શિખરે ચઢે છે તેમ ઉદય પામી અને શ્રી અને વીર સિંહાસન પર આવી, સૂર્ય તિમિર દૂર કરે છે, તેમ ચૌલુકયાના બળવાન વંશનું તિમિર દૂર કરી અને સૂર્ય ગિરિનાં શિખરો પર કિરણા મૂકે છે તેમ રહેની અટ્ટ( આજ્ઞા ) નૃપાના શિરપર મૂકી તે નૃપના પિતૃવ્યક શ્રીકૃષ્ણનૃપે અખિલ જગમાં તેની મહાન દ્યુતિ પ્રસારી, (૫. ૯ ) તેનાથી ગોવિંદ નૃપ જન્મ્યા હતા. તેનું શત્રુઓને ખાળવાથી થયેલા ધૂમ્રનું ચિન્હ ઇન્દુ બિમના શિલા તળ પરની પ્રશસ્તિ હાય તેમ દેખાય છે. ( પં. ૧૦) તેના અનુજ, નિરૂપમના અપર નામવાળા, ભૂમિ રક્ષામાં વીર મતિવાળે, અરિગણને દૂર કરનાર અને જેની મુદ્રાથી જલધિ પણ ઉચિત નામથી સમુદ્ર કહેવાયા તે, ઇદ્ધતેજસ્ નૃપ હતે. ( પં. ૧૧ ) તે પછી જગત્તુંગ જન્મ્યા. તેના શત્રુરૃપે તેમની પાસેથી સકળ મંડળ હરી લીધાથી યૌવન વીતી ગએલી વિનતાના સ્તન માક (નરમ અને શક્તિહિન ) થઈ ગયા. ( પં. ૧૨ ) અને તેનાથી અતુલ બલવાન, જેનાથી અસમાન ચૌલુકયા અને આભૂષખ આક્રિથી ઉત્પન્ન થએલે રતિનિગ્રડુ કેપથી વિગવઠ્ઠીમાં પ્રસન્ન થયા હતા અને જેને શુદ્ધ યશ, વિરિચિના ઈંડાની અંદર, બહાર કે ઉપરના તળ પર સમાસ સ્થાન ન મળવાથી પૃથ્વીના ઉંડા સાગરમાં મૂકયા હતા તે અમાઘવર્ષ જન્મ્યા હતા. (૫. ૧૫ ) તેનાથી અકાલવર્ષ નૃપ જન્મ્યા હતા. તેના પરાક્રમથી ભયભીત થઈ તેના શત્રુ આએ ઢાલ અને તરવારના સદ્ય ત્યાગ કર્યાં. ( પં. ૧૬ ) સહસ્રાર્જુનના વંશનું ભૂષણ, કેલની પુત્રી તેની રાણી થઈ અને તેનાથી જગત્તુંગ જન્મ્યા હતા. સાગર સમેા ગંભીર અને રત્નના નિધિ, અને પ્રતિપક્ષથી નૃપાનું રક્ષણ કરવા સમર્થ ( જેમ સાગર પર્વતને શત્રુઓથી રક્ષે છે તેમ ) કાલના પુત્ર રણવિગ્રહના સાગર માંથી લક્ષ્મી નામે પુત્રી, સાગરમાંથી લક્ષ્મીદેવી પ્રકટી તેમ, જન્મી હતી. તે સમાન શત્રુ વિનાના, ભીમસેન અને અર્જુનના યશની પ્રાપ્તિથી અલંકારિત, તે નૃપની પત્ની થઈ. ( પં. ૧૯) જગત્તુંગ જે ઉગિર સમાન હતા. તેમાંથી ઉદય પામતા લક્ષ્મીને પુત્ર વિજયી સૂર્ય સમાન નૃપ જન્મ્યા હતા. તેના આત્મા તેજસ્વી હતુ અને તેના વજ્ર સમાન કરથી, ઇન્દ્ર પર્વતાના પક્ષછેદન માટે વા ફેંકે તેમ સદાચારમ થી ચલિત થએલા સર્વ નૃપાના Jain Education International For Personal & Private Use Only www.jainellbrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy