SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૦૯ દ૬ ૨ જાનાં કાવીનાં તામ્રપત્રો* ૨. સ. ૩૮૦ કાર્તિક સુ. ૧૫ ગુર્જર વંશના ત્રણ લેખો આ માસિકમાં પ્રકાશિત થયા છે – ડોકટર બલર દ્વારા (૧) શકે ૪૦૦ ના વૈશાખ સુદ ૧૫ નું દ૬ બીજાનું ઉમેટાનું દાનપત્ર, (૨) અવ્યક્ત સંવત ૪૮૬ ના આષાઢ સુદ ૧૦ રવિવારનું જયભટ ત્રીજાનું કાવીનું દાનપત્ર, અને (૩) પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી દ્વારા અવ્યક્ત સંવત ૪૫૬ ના માઘ માસની પૂર્ણિમા મંગળવારે ચન્દ્રગ્રહણ સમયે અપાએલું જયભટ : જાનું નવસારીનું દાનપત્ર. અને તે જ વંશના બીજા ત્રણ લેખ અન્યત્ર પ્રસિદ્ધ થયા છે, તે પૈકી દર બીજાના બે દાનપત્ર જે અનકમે અવ્યક્ત સંવત ૩૮૦ ના કાર્તિક શુકલ પૂર્ણિમા અને તેવા જ સંવત ૩૮૫ ની કાર્તિક શુકલ પૂર્ણિમા છે. તે પ્રેફેસર જે. ડૉ અને પ્રકાશિત કર્યા. ત્રીજો લેખ પ્રોફેસર આર. જી. ભંડારકરે પ્રકાશિત કર્યો. તે શકે ૪૧૭ ના વૈશાખની" અમાવાસ્યા સહ પ્રતિપદાના સૂર્યગ્રહણ સમયનાં તે જ વ્યક્તિનાં આપેલાં ઈલાઓનાં દાનપત્ર વિષે છે. ચાલુક્ય વંશના વિજયરાજ અથવા વિજયવમના દાનપત્ર તથા એક બીજા દાનપત્ર સાથે (જેની વિગત આપી નથી) દ૬ બીજાનાં ખેડાનાં બે દાનપત્રો લગભગ ઈ. સ. ૧૮૭ માં મળી આવ્યાં હતાં. ખેડાના કેટની વાયવ્ય બાજુમાં નજીક જ વઝુઆ નદી વહે છે. ત્યાંની ભંતિ તથા જમીન ધોવાઈ જવાથી આ શોધ થઈ શકી હતી. અસલ પતરાં બધાં ડૉ. એ. બર્ન્સ રિયલ એશિયાટિક સાયટીને ભેટ તરીકે આપ્યાં હોય એમ જણાય છે. પરંતુ તે પૈકી કેવળ વિજયરાજનું દાનપત્ર હાલ ઉપલબ્ધ છે. તેથી ગુર્જરનાં આ બે દાનપત્રો પ્રોફેસર ડૉસનના લેખ સાથે પ્રસિદ્ધ થએલી પ્રતિકૃતિઓ ઉપરથી ફરીથી હું પ્રકાશિત કરૂં છું. આ પ્રતિકૃતિઓમાંની પહેલીમાં બે પતરાં બતાવ્યાં છે. તે દરેક ૧૧” લાંબું અને@” પહેલ્થ - છે. લખાણુના રક્ષણ માટે આ પતરાંના કાંઠા જાડા અથવા વાળેલા હતા કે નહીં તે જાણી શકાતું નથી. પહેલા પતરાની નીચેની જમણી બાજુના ખૂણને મોટો ભાગ ભાગી ગયો છે અને બીજા પતરાને ઉપર ડાબી બાજુના ખૂણાને એક હાને કટકો ભાગી ગયા છે, તે સિવાય પતરાં સુરક્ષિત છે અને લેખ બહુ સહેલાઈથી વાંચી શકાય તેવો છે. પ્રતિકૃતિ સારી છે, પણ તેમાં ઘણા લેપ અને પુષ્કળ ભૂલે છે. આ ભૂલે અસલની કે લીથગ્રાફની અપૂર્ણતાની પણ હાઈ શકે, પણ તેનાં કારણે વિષે શંકા હોવાથી તે અસલની જ ભૂલે મેં માની છે. સાધારણ રીતે, * ઈ. એ. જે. ૧૨ પા. ૮૧-૮૭ જે. એફ ફલીટ. ૧ જ. કનીંગહામની ગણત્રી પ્રમાણે આ તારીખ ૩ જી એપ્રીલ ઈ. સ. ૪૭૮ ને સોમવારને મળતી આવે છે. (ઈ. એ. વ. ૭૫, ૬૧) ૨ (ઈ. એ. વ. ૫ ૫. ૧૦૯)-ઈ. એ. વ. ૧૨, ૫, ૨૯૨-૯૩ માં પ્રસિદ્ધ કરેલા મારા રિમ ' સંબંધી, પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીએ પોતાની જાતની પતરાની પરીક્ષા ઉપરથી મને ખાત્રી આપી છે કે બીજું સ ખ્યાવાચક ચક્ર ચકકસપણે ૮૦ છે અને ૯૦ નથી. ૩ જુએ. ઈ. એ . ૧૩ ૫. ૭૦ ૪ જ. કે. એ સે. ન્યુ સી. વ. ૧ પા. ૨૪૭–આ બને દાન પત્રનું ભેળસેળ અક્ષરાન્તર આ પહેલાં, જ, એ. એસ સે. વિ. ૭ પા. ૯૦૮ માં. મી. જેમ્સ પ્રિન્સપે પ્રસિદ્ધ કર્યું હતું. પંક્તિ ૨૪ સુધીનું અક્ષર તર ૩૮૦ ના દાનપત્રમાંથી તેણે લીધું છે અને પંદિત ૨૫ થી અંત સુધીનું અક્ષરાન્તર ૩૮૫ ના દાનપત્રમાંનું છે, સિવાય કે તારીખ ૩૮૫ ને બદલે ૩૮૦ આપેલી છે. ૫ જ. એ. બ્રા. જે. એ. સે. . ૧૦ પા. ૧૯ ૬ ઈ. એ. . ૭ પા. ૨૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy