SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ राष्ट्रकूट राजा ध्रुव ३ जानु भरूचनुं दानपत्र રે રાજાઓની હકીકત પણ આ દાનપત્રમાં બહુ ઉપયોગી છે. શક સંવત ૭૪૯ અને ૭૮૯ વચ્ચેના ટુંકા સમયમાં જુદા જુદા વંશના પાંચ રાજાઓએ રાજ્ય કર્યું હતું. આ હકીકત એકલી જ એ બતાવવાને પૂરતી છે કે તે સમય વિપત્તિ અને લડાઈઓને હતું, અને કકક ૩ જે ઉત્તરાવસ્થાએ ગાદીએ આવ્યું હશે અને તેના પુત્ર અને પૌત્ર મોટા થયા કે તરત જ મૃત્યુ પામ્ય અગર મારી નાંખવામાં આવ્યો હશે. તે સિવાય અધી સદીમાં પાંચ વંશજે ગાદીએ આવી ગયા, એ અસંભવિત લાગે છે. ચાર નવીન રાજાઓની જે થડી હકીકત આપી છે તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તેઓને બહુ મુશ્કેલીઓ નડી હશે. આપણુ દાનપત્રના દાતા ધ્રુવ ૩ જાને તેના શત્રુ વલ્લભ અને બળવાખોર સંબંધીઓ સાથે લડાઈ થઈ હતી. ધ્રુવ ૩ જે પણ એક ખંડીઓ રાજા હતો. રાઠેડનાં તામ્રપત્રો તથા સિલાહારોના કાનેરિના લેખો ઉપરથી અનુમાન થાય છે કે અમેઘવર્ષનું રાજ્ય આ સમય સુધી ચાલ્યું હતું. ત્રીજો શત્રુ, “ બલવાન ગૂર્જરો” એ અણહિલવાડના ચાવડા અગર ચાપોત્કટ હશે, કારણ કે ૯ મી સદીમાં ગુર્જર કહી શકાય તેવું બીજું કે રાજય ન હતું. કૃષ્ણાજીની “રત્નમાલા ” મુજબ ઈ. સ. ૮૪૧ થી ૮૬૫ સુધી ખેમરાજ અગર ક્ષેમરાજે અણહિલવાડમાં રાજ્ય કર્યું હતું. અને ભરૂચ મેળવવા માટે ધ્રુવના અનુજની સહાયથી ઘણું કરી આજ ગૂર્જરે મેહનત કરી હતી. દાનમાં કર્માન્તપુર સાથે જોડેલાં ૧૧૬ ગામોનું પા૨ાહુણક ગામ જે જીભા નામના અવર્યુ અગર યજુર્વેદના શિષ્ય તથા લાક્ષાયણ ગોત્રના બ્રાહ્મણને આપ્યું હતું. તેને હેતુ એક સત્ર અથવા સદાવ્રત ચલાવવાને તથા ધાર્મિક ક્રિયાઓનું ખર્ચ કરવાનો હતો. તે મેળવનારના પિતાનું નામ નેત્રય (કદાચ નેન્ન૫) અને તેના દાદાનું નામ રાધિ હતું. પારાડણક ગામની સીમામાં “ બ્રાહ્મણકુલનું નિવાસસ્થાન” મેટ્ટક આપ્યું છે. આ સુરતથી બારડોલીના રસ્તા ઉપર આવેલું અને મોટાલા બ્રાહ્મણોનાં અસલ સ્થાન તરીકે પ્રસિદ્ધ થયેલું મોટા ગામ છે. આપણુ દાનમાં તાપી નદીની દક્ષિણ તરફના એક ગામને નિર્દેશ કરેલો છે તે ઉપરથી પુરવાર થાય છે કે ભરૂચના રાઠોડના રાજ્યમાં દક્ષિણ ગુજરાતને સમાવેશ થતો હતો. આ હકીકત કાવી અને ગુજરાતનાં પતરાંએ અક્કસ રાખી હતી. હાલના સમયમાં પણ તાપી નદીની દક્ષિણમાં રાઠડ કૃષિકારો મળી આવે છે. આપણું દાનપત્રમાં સૂર્યગ્રતુણનો ઉલ્લેખ આપેલ હોવાથી દાન આપવાનો દિવસ ચોક્કસ થઈ શકે છે. પ્રોફેસર જેકેબી અને ડો. બગેસ ખાત્રી પૂર્વક કહે છે કે તે તારીખ ઇ. સ. ૮૬૭ ના જુનની ૬ ઠી હતી, અને આ દિવસે સૂર્યગ્રહણ થયું હતું. આ શાસનને દૂતક શ્રી ગોવિંદ હતે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy