________________
નં. ૧૨૫ ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા કર્ક ૨ જાનાં
નવસારીનાં તામ્રપત્રો
શક સંવત્ ૭૩૮ માઘ સુદ ૧૫ આ તામ્રપત્ર મૂળ . ભગવાનલાલ ઇન્દ્રજી પાસે હતાં. પરંતુ મને તે બો. બેં, રે. એ. સે. ના સેક્રેટરીએ પ્રસિદ્ધ કરવા માટે આપ્યાં હતાં. પતરાં મૂળ નવસારીમાંથી મળ્યાં હતાં.
આ ત્રણ પતરાં છે. તે દરેકનું માપ ૧૦” X ૬” છે. કાંઠા સહેજ જાડા છે. મને તે મળ્યાં ત્યારે તેમાં કડી ન હતી, પરંતુ તેની ડાબી બાજુએ કાણું હોવાથી જણાય છે કે તે એક કડી વડે સાથે જોડેલાં હશે. એકંદરે લેખ સુરક્ષિત અને સહેલાઈથી વાંચી શકાય તે છે. કોતરકામ સુંદર છે. ભાષા છેવટ સુધી સંસ્કૃત છે. દાનપત્ર હંમેશના ઓ ના ચિહ્નથી શરૂ થાય છે. પણ તે પછી નિયમ પ્રમાણે “ત્તિ” લખેલું નથી. પહેલી ૫૪ પંક્તિઓ તથા છેવટના આશીર્વચન તથા શાપના કલાકે પદ્યમાં છે. આ દાનપત્રના શ્લોકે અત્યાર સુધીમાં પ્રસિદ્ધ કરેલા રાષ્ટ્રકૂટના જૂદા જૂદા લેખમાં આવી ગયા છે. પણ કેટલાક ગુજરાત રાષ્ટ્રકૂટ રાજા ગેવિંદનાં કાવીનાં પતરાંમાં જ માલુમ પડે છે.
નીચે આપેલું દાનપત્ર રાષ્ટ્રકૂટ વંશની ગુજરાત શાખાના ઇન્દ્રને પુત્ર કર્ક, જેને “સુવર્ણ વર્ષ” કહ્યો છે, તેનું છે. તે ખેટક ” એટલે હાલના ખેડામાં રહેતા હતા ત્યારે તેણે આ શાસન જાહેર કર્યું હતું. તારીખ શબ્દમાં આપી છે. તે, શક સંવતનાં ગત વર્ષ ૭૩૮ ના માઘ શુદ ૧૫ ની છે. આ દિવસે થયેલા ચંદ્રગ્રહણ સમયે આ દાન અપાયું હતું. તેને હેતુ “બલિ. આદિ પાંચ યજ્ઞક્રિયાઓ કરવાનું હતું. દાન લેનાર બાદડિને પુત્ર, ભારદ્વાજ ગોત્રને અને
તત્તરીય ” શાખાને શિષ્ય ગેમ્બદિ નામનો બ્રાહ્મણ હતો. ગુજરાતની અંદર “તૈતરીય” શાખા લગભગ છે જ નહીં, પરંતુ ઘણાખરા તૈલંગી બ્રાહ્મણો આ શાખાના અનુયાયી હોય છે. વળી, દાન લેનારનું નામ તેલગુ લાગે છે. એટલે તે દક્ષિણમાં વસનારે હવે જોઈએ. તે મૂળ
જ્યાં રહેતો હતો તે બાદાવી બિજાપુર ડિસ્ટ્રિકટના બાદામી તાલુકાનું હાલનું બાદામી શહેર હેવું જોઈએ, ગોમ્બ બહુ વિદ્વાન હોવો જોઈએ, કારણ કે ચૌદ વિદ્યામાં નિપુણ હોવાને લીધે તેને “પંડિત વલભરાજ” ને ઈલ્કાબ આપ્યો છે.
આ દાનપત્ર ગુજરાત શાખાના કકર્ક ૨ જાનાં દાનપત્રોમાં અનુક્રમે બીજી છે. પહેલું સાધારણ રીતે વડોદરાના દાનપત્ર તરીકે ઓળખાય છે અને તેની તારીખ શક સંવત ૭૩૪ ગત એટલે ચાર વર્ષ વહેલી છે. વડોદરાના દાનપત્રના શ્લોકે અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલાં બીજાં કઈ રાષ્ટકટ દાનપત્રોમાં આપેલા નથી જોડે તે ઘણી ઉપયોગી માહિતી આપે છે. પરંતુ આપણું દાનપત્રના લોકો બીજા રાષ્ટ્રકૂટ લેખમાં આપેલા હોવાથી કંઈ નવીન જ્ઞાન આપતા નથી. તેમ છતાં આ દાનપત્રમાં આપેલી તારીખ તથા રાષ્ટ્રના મુખ્ય વંશના અમેઘવર્ષ ૧ લાના નામ ઉપરથી એક ઉપયોગી અનુમાન થઈ શકે છે. વડોદરાનું દાનપત્ર, જે શક સંવત ૭૩૪ ગતમાં લખાયું હતું તેમાં વંશાવલી ગોવિંદ ૩ જા સુધી જ આપેલી છે. તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે રાજા તે સમય સુધી રાજ્ય કરતા હતા. પણ આ દાન પત્ર, જેની તારીખ શક સંવત્ હ૩૮ ગતની છે, તેમાં ગેવિંદ ૩જા પછી અમેઘવર્ષનું નામ આપ્યું છે. તે ઉપરથી જણાય છે કે તે
૧ જ છે. બા. રે. એ. સે. વો. ૨૦ ૫, ૧૩૧ દેવદા-આર-ભાંડારકર બી. એ. (આર, છ, ભાંડારકરની દેખરેખ તd )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org