________________
३४
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર જેના નાભિકમળમાં વેધસને વાસ થયેલ છે તે (વિષ્ણુ) અને હર જેનું શિર રમ્ય ઈન્દુકલાથી ભૂષિત છે તે તમને રક્ષો !
( પંક્તિ. ૨) સ્વસ્તિ ! નિજ અવયને કર્તા, વિમળ શ્રી રાષ્ટકટના વંશમાં જન્મેલો, દાનમાં શૂર, યુદ્ધમાં વીર ગોવિંદરાજ નૃપ હતો. તે એકલો વિજય કરનાર અને સાહસમાં પ્રીતિવાળો હતો તેને નૃપના વેશના ફળ સમાન સૈન્ય થયું. તે જ્ઞાનસંપન્ન હોવાથી દેવાધિપ શંકર સિવાય અન્ય દેવને પૂજતો નહીં.
( પંક્તિ. ૪) અને જ્યારે તે પુત્રપ્રાપ્તિની અભિલાષ રાખતા હતા ત્યારે-સદ્ગુણસંપન્ન, મહાયશવાળા, શ્રી કર્કરાજનું રમ્ય અને ઉચ્ચ નામ (તેના ) મુખ્ય પદ તરીકે અને અન્ય ગૌણ નામને પરિવાર ધારનાર, ભવની પ્રસાદીથી તેને એક પુત્ર જન્મ્યો. સૌરાજ્યની વાર્તા પ્રસંગે સમસ્ત જનેના કલ્યાણ અર્થે ઉન્નતિવાળું બલિનું રાજ્ય ઉદાહરણ તરીકે પૂર્વ અપાતું પણ હવે પૃથ્વીમાં આ નૃપનું રાજ્ય છે. કલિના પ્રસંગથી એક ચરણવાળા બનેલા વૃષને (ધર્મને) હાલ પુનઃ ચાર ચરણવાળો અને તેની ગતિમાં વિધ્ર વગરને તેણે બનાવ્યો તે અખિલ મનુષ્ય જાતે અત્યંત અદભુત માન્યું. અને તે નવાઈ જેવું નથી કે તેણે ગ્ય રીતે નિજ પ્રજાને પૂર્ણ રક્ષણ કર્યું. કારણ કે વિશ્વને રક્ષવામાં વિખ્યાત વિષ્ણુ તેના ચિત્તમાં વસતે. આ વર્તન તેને ઉચિત હતું. તેનું મન (આમ) એજ ( વિષ્ણુની) સાથે એક જ હતું.
(પંક્તિ. ૯) તે ધર્માત્મા નૃપને પવિત્ર કૃષ્ણરાજ નામે પુત્ર જન્મ્યા હતા. તેણે વિમાર્ગે ગએલા બધુજનને મૂળથી ઉખેડી નાંખીને નિજ ગોત્રના હિતાર્થે રાજ્ય પોતે લઈ લીધું. તે દ્વિ તરફ મિત્રતા રાખતા તેથી અદ્વિજ પણું દ્વિજ હોય તેમ શ્રેષ્ઠ વિપ્રને ઉચિત દાન ઉત્સુક બની વેદનું ગાન કરનાર જનોથી થતી વિધિઓ કરે છે. વાદળ જ્યારે ખેડૂતોની ઈચ્છાથી અધિક વધિ વરસાવે ત્યારે તેમનાં મન તે બંધ થાય તેમાં આતુર હોય છે તેમ તેના સેવકને મહાન અભિલાષથી અતિ અધિક ધનવૃષ્ટિથી થતું. યુદ્ધની અભિલાષી અને શૌર્યની ઉષ્ણતાથી દીપ્ત થએલા મહાવરાહને તે અતિ બળવાન સિંહ સમા નૃપે હરણ સમાન કરી દીધો. એલાપુર પર્વત ઉપરનો તેને અદભત નિવાસ જોઈને વિમાનમાં ગમન કરતા અમરે પણ વિસ્મય પામી અતિ વિચારથી કહે છે –
“આ સ્વયંભુ શિવને નિવાસ છે, અને કૃત્રિમ સ્થાન નથી. શ્રી જે દેખાય તે આવી જ હોય.” ખરેખર તેના કૃતિકાર જેણે તે બધું તે સર્વ (પૂર્ણ) પ્રયત્ન પણ પુન આવી કૃતિમાં નિષ્ફળ થાય! અહે ! તે મારાથી કેમ સિદ્ધ થયું છે ? એમ કહેતાં તે (કુતિકાર ) વિરમય પામત. ( અને ) તે કારણથી તૃપ તેના નામની સ્તુતિ કરતો. તેનાથી, ગંગાના પ્રવાહ, ઇન્દુનાં કિરણ અને કાલકુટવિષનાં ભૂષણવાળો શંભુ જે ત્યાં નિવાસ કરતા તે રન, સુવર્ણ અને સર્વ લહમીથી અધિક મંડિત થતું. | ( પતિ. ૧૯ ) તે નુપને મહાપ્રતાપી પ્રવરાજ નામને પુત્ર જન્મ્યા હતા. તેના પ્રતાપને અગ્નિ તેના પ્રતાપથી તુણ સરખા થઈ ગએલા શત્રુઓને બાળી નાંખતો. લક્ષ્મીને પ્રસન્ન કરવા જે ચિન્તવન કરતે તે નિત્ય કૃતાર્થ થતા. અને તેમાં શું આશ્ચર્ય છે ? કારણ કે દરેક પુરૂષ સહાય વગર જ નિજ પત્નીને પિતાને વશ કરે છે.
(પંક્તિ. ૨૨) તેને સાક્ષાત મૂર્તિમાન યશ–ગોવિંદરાજ નામે પુત્ર હતો. તેણે પોતાના શત્રુઓ પાસેથી મનહર ગંગા અને યમુના પડાવી લઈને તે નદીઓથી સાક્ષાત્ ચિહ્નથી સ્પષ્ટ થતા ઉત્તમ પદની પ્રાપ્તિ કરી, અને તેના દૈવી પ્રતાપવાળા ગુણે જે પ્રતિબંધ ન થાય માટે દેહ વિનાના હતા તે સર્વ પ્રદેશમાં પ્રસર્યા હતા. ખરેખર તે નૃપ જેણે સમસ્ત પ્રતાપી વીર શત્રુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org