________________
ध्रुवसेन १ लानां पालिताणानां पतरांओ
ભાષાન્તર (૧-૧૪ પંક્તિઓ સંવત ૨૦૬ ના દાનપત્રની શરૂઆતને લગભગ મળતી જ છે.)
(૫. ૧૫) તમને જાહેર થાએ કે, સિંહપુરના વતની, જ્યાબાલ ગેત્રના, વાજસનેય શાખાના બ્રાહણ વિષ્ણુશર્મનને નીચેની મિલ્કત નામે – ભલર ગામમાં, હસ્તવપ્ર આહરણિમાં નૈઋત્ય સીમા પર બ્રાહ્મણ વિશાખના ભેગવટાનું કરદ ક્ષેત્ર (ખેતર ) અને ૧૨ પાદાવર્ત વિરતારવાળી આબ્રિલિકા વાપી; તેમજ અક્ષરક સુધીની હદવાળા વસુકીયા ગામની ઉત્તર સીમામાં ૫૦ પાદાવર્ત, જેને તે પહેલાં ઉપગ કરતા તેમજ હાલ પણ ઉપભેગ કરે છે તેને માટે મેં, મારાં માતાપિતાના પુણ્યવૃદ્ધિ અર્થે તથા આ લોકમાં તેમ જ પરલોકમાં મનવાંછિત ફલપ્રાપ્તિ માટે, પૂર્વના ઉપભેગ(ભેગવટા )ને નિયમો અનુસાર અનુમોદન આપ્યું છે. આથી કરીને જ્યારે તે તેને ઉપભેગ કરતા હોય, ખેતી કરતા હોય, ખેતી કરાવતા હોય અથવા બીજાને ઍપતા હોય ત્યારે કોઈ પણ માણસે તેને પ્રતિબંધ કર નહિ, આ અમારા અનુ. મેદનને અમારા વંશજો અને ભાવિધમાં નૃપે એ, ભૂમિદાનનું પુણ્ય સામાન્ય ગણી, અનુમતિ આપવી જોઈએ..
(૫. ૨૩) આને માટે વ્યાસના રચેલા લોકો પણ છે. પૃથ્વીને ઉપભોગ કર્યા છે, વગેરે ... ... .. ભૂમિદાન દેનાર વગેરે ... ... પોતે કરેલું અથવા અન્ય જને કરેલું ભૂમિદાન જે હરે છે તે શતસહસ (લક્ષ) ગાયે મારવાને અપરાધી બને છે.
(પ. ૨૭) મહાર-મહાસામન્ત મહારાજ ધ્રુવસેનના-હસ્તાક્ષર, દૂતક પ્રતીહાર મમ્મક લખનાર કિકકક. સંવત ૨૧૦, શ્રાવણ, સુદિ ૧૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org