________________
ध्रुवसेन १ लाना भावनगरना पतरांओ
ભાષાન્તર [ પં. ૧-૧૨ ચાલુ પ્રસ્તાવના સમાવે છે. તરજુમા માટે, ઉદાહરણ તરીકે ડા. સ્ટેન કેથી પ્રકટ થએલા પાલિતાણું તામ્રપત્ર નં. ૧ ની શરૂઆતની પંક્તિઓના, તરજુમા સાથે સરખા. એ. ઈ . ૧૧ પાનું ૧૦૮ ]
(પંક્તિ ૧૩-૧૮ ) તમને જાહેર થાઓ કે મારાં માતાપિતાના પુણ્યની અભિવૃદ્ધિ અર્થ અને મારા આ લેક તેમ જ પરલોકમાં ઇચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે, હસ્તવમાહરણ માં છેકપદ્ધક ગ્રામમાં પૂર્વ સીમા પર પ૦ (પચાસ) પાદાવર્ત જે ચઢવક-સ્કસ્મફકની માલિકીનાં છે. અને, માલાકારની ઉત્તર સીમા પર ૧૬ પાદાવર્ત વિસ્તારને ઉદુમ્બર સહિત કુપ, ભૂત, વાત, હિરણ્ય અને આદેય સહિત, બલિ, ચરૂ, વૈશ્વદેવ આદિ વિધિ અનુષ્ઠાન માટે વલાપદ્રના નિવાસી માણવગોત્રના, ઇન્દગ-સબ્રહ્મચારી બ્રાહ્મણ ગુણને, ચન્દ્ર, સૂરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતના અસ્તિત્વકાળસુધી, પુત્ર, પૌત્ર, પરંપરાના ઉપગ માટે પાણીના અર્થથી બ્રહ્મદાય તરીકે મારાથી અપાયાં છે.
( પંક્તિ ૧૯-૨૦) આથી બ્રાદાયના નિયમાનુસાર, તે ખેતી કરે, ખેતી કરાવે અથવા અન્યને સોંપે ત્યારે તેને કોઈએ લેશ પણ પ્રતિબંધ કર નહિ.
(પંક્તિ ૨૧-૨૫-ચાલુ ઉપદેશ અને શાપ સમાવે છે. )
(પંક્તિ ૨૬ ) આ મારા મહાસામત મહારાજ ધ્રુવસેનના સ્વહસ્ત છે. દૂતક પ્રતીહાર મમક છે, કિકકથી લખાયું.
( પંક્તિ ૨૭-૨૮) સંવત ૨૧૦ શ્રાવણ શુદિ ૧૩ ને દિને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org