SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦ ૨૨ ધ્રુવસેન ૧ નાં ભાવનગરનાં પતરાં [ વલભી ] સંવત ૨૧૦ શ્રાવણ સુદ્ર ૧૩ ભાવનગર દરબારે ૧૯૧૪ માં મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝીયમને ભેટ આપેલાં મૂળ તામ્રપત્રા જે હાલ ત્યાં રાખેલાં છે, તેના ઉપરથી આ લેખ હું પ્રસિદ્ધ કરૂં છું. મ્યુઝીયમને મળ્યા પહેલાંના પતરાંના ઇતિહાસ મળી શકતા નથી. એક જ બાજુ પર લખેલાં અને દરેક ૧૧” પાહેાળુ અને દ” ઉંચું એવાં એ પતરાંએ છે. લખાણના રક્ષણ માટે કાંઠાએ જરા વાળેલા છે, અને આખા લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. પતરાંએ સારી રીતે જાડાં છે તેા પણ કેટલેક ઠેકાણે અક્ષરા ઊંડા હાવાથી પૃષ્ઠ ભાગમાં દેખાય છે. દરેકના ઉપર એ કાણાંએ પાડેલાં છે. દરેક સામસામા કાણામાંથી પસાર કરેલી એક ત્રાંબાની ગાળ કડીથી પતરાંએ એક છેડે જોડેલાં છે. બીજા છેડાના સામસામાં કાણુગ્મામાંથી એક ત્રાંબાના વાળેલે સળીએ પસાર કરેલા છે. આના છેડાએ વલભીની લંગે લાકૃતિની સામાન્ય મુદ્રા વડે બાંધી દીધેલા છે. આ મુદ્રા ૧૭” લાંખી અને ૧” પાહાળી છે. અને તેના ઉપર વંશના સ્થાપકનું નામ છે. મુદ્રાની સપાટી કટાએલ હાવાથી લેખ ચાક્કસ પણે વાંચી શકાતા નથી. લેખ ઉપર મૈત્રકેાનું ચિહ્ન નન્દી, જમણી તરફ મોંઢુ કરી ઉપડતી રીતે કાતરેલા છે. પતરાં અને મુદ્રાનું કુલ વજન ૧૨૬ તાલા છે. પહેલા પતરા ઉપર ૧૩ અને બીજા ઉપર ૧૫ પંકિત છે અને આમાંની છેલ્લી બે પંકિતએ લેખની તિથિ ટુંકામાં દર્શાવે છે. પતરાંના ઉપરના વર્ણનથી તેમ જ આ લેખ સાથે આપેલી પ્રતિકૃતિ ઉપરથી વાંચનાર ને જણાશે કે આજ સુધીમાં પ્રસિદ્ધ થએલ તે જ વંશનાં અસંખ્ય પતરાંએામાં અને વલભીનાં આ પતરાંઓમાં મુખ્ય ખાખતામાં ફેર નથી. આ સાથેના પ્રતિલેખ ઉપરથી પણ જણાશે કે તે આ માસિકના પહેલાના અંકમાં ડા. સ્ટેન કેનેાએ પ્રસિદ્ધ કરેલાં ધ્રુવસેનનાં પાલિતાણાનાં તે જ વર્ષનાં પતરાંએને લગભગ મળતા જ છે અને દાપણું ફકત દાન પૂરતું જ છે. વલભી રાજાઓના વંશજ મહાસામન્ત મહારાજ ધ્રુવસેન(૧)ના આ લેખ છે. તેમાં લખેલું શાસન વલભી, એટલે સાધારણ રીતે મનાતું હાલનું કાઠિવાડના વળા શહેરમાંથી કાઢ્યું હતું. હસ્તવપ્ર-આહરણીમાં છેપક નામના ગામની કેટલીક જમીન યજ્ઞાદિ કાર્ય માટે વલાપદ્રના રહીશ એક બ્રાહ્મણને ધ્રુવસેને દાનમાં આપી હતી તેનું વર્ણન કરવાના હેતુ આ લેખના છે. હતવપ્ર એટલે હાલનું હાથમ, સિવાય ગામના બીજાં નામે આળખી શકાતાં નથી. લેખની તિથિ સંવત ૨૧૦( વલભી સંવત સાથે સરખાવતાં ઇ. સ. પર૯ )ના શ્રાવણુ શુદ ૧૩ છે. સમય આંકડાઓમાં આપ્યા છે, ૧ મે, ૧, પૃ. ૫૫ ની ૬૨ વી. એસ. સુગંધ કર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy