________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર' ( પંક્તિ ૧ ) » સ્વસ્તિ ! વલભીમાંથી.
( પિતાના ) શત્રુઓને બળથી નમાવનાર મિત્રકોના કુળમાં, અતુલ બળસંપન્ન મહાન શત્રમંડળ સાથે કરેલાં અસંખ્ય યુદ્ધમાં પ્રતાપ પ્રાપ્ત કરનાર, પિતાના પ્રતાપથી નમન કરનારને, નિષ્પક્ષપાતથી દાન અને માનાર્પણથી અનુરાગ મેળવનાર, અને અનુરક્ત મલ–સૈનિકો અને મિત્રોની શ્રેણીના બળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર, પરમ માહેશ્વર, સેનાપતિ શ્રીભટ્ટારક જન્મ્યો હતે.*
( પંક્તિ ૩) તેને પુત્ર, જેનું નમન કરતું શિર તેના પિતાના ચરણની રજથી રક્ત બનીને પવિત્ર થયું હતું, જેના પાદ નખનું તેજ શત્રુઓનાં નમન કરતાં શિર પરના ચૂડામણિની પ્રભા સાથે ભળતું, ( અને ) જેની લફમીનો દીન અને અનાથ જનાથી ઉપભેગા થતા તે પરમ-મહેશ્વર સેનાપતિ ધરસેન હતે.
( પંક્તિ ૫ ) તેને અનુજ, જેના વિમળ મુગટમણિ(પિતાના જેષ્ટબધુ)ને ચરણને પ્રણામ કર્યાથી ( અધિક) પવિત્ર થયે હતું, જે મનુ આદિથી નિર્માણ થએલાં વિધિવિધાનમાં પરાયણ હતું, જે સદાચારના નિયમને માર્ગ ધર્મરાજ ( યુધિષ્ઠિર ) માફક બતાવતે, જેને રાજ્યાભિષેક, અખિલ ભુવનના મહાન મંડળના સ્વામિ, પરમસ્વામિથી જાતે જ થયે હતે, અને જેણે (પતે) દાનથી રાજ્યશ્રી પવિત્ર કરી તે પરમ માહેશ્વર, મહારાજ દ્રોણુસહ હતો.
( પંક્તિ ૮) તેને અનુજ, જેણે પોતાના બાહુબળથી શત્રુની ગજ( સમાન )સેનાને સિહની માફક પરાજય કર્યો હતો, જે શરણાગતને આશ્રય હતો; જે શાસ્ત્રનું તત્વ જાણુ, ( અને ) જે ક૯પતરૂની માફક મિત્રો અને પ્રયિજનોને અભિલાષ અનુસાર વૈભવ ફળને ઉપગ આપ, તે પરમભટ્ટારકને પાદાનુધ્યાત ભગવતને પરમભક્ત, મહાસામન્ત, અને મહારાજ શ્રવસન, કુશળ હાલતમાં સર્વ આયુક્તક, નિયુક્તક, દ્રાંગિક, મહત્તર, પ્રવ, સ્થાનધિકરણિક, દાણ... પાશિક, ચાટ, ભટ આદિને ( નીચેનું ) શાસન કરે છે :
( પંક્તિ ૧૨ ) તમને જાહેર થાઓ કે મહારાં માતાપિતાના પુણ્ય અર્થ અને આ લોકમાં અને પરલોકમાં ઈચ્છિત ફળ પ્રાપ્તિ અર્થે હસ્તવમાહરણમાં અક્ષરકમાપના હરિયાનક ગામમાં વાયવ્ય સીમા પર ચાર ખંડનું ક્ષેત્ર અને ઈશાન સીમાપર, ચાર ખંડ: આ પ્રમાણે ૮ ખંડ ભમિ જેમાં ત્રણ પાદાવ પા. ૩૦૦ ( સમાએલાં છે )- અને તે જ ગામની વાયય સીમા પર યમલવાપી, વિસ્તારમાં ૪૦ પાદાવર્ત, અને એક બીજી વાપી વિસ્તારમાં ૨૦ પાદાવ-. આમ એ જ ગામમાં એકંદર ત્રણસે સાઠ પારાવર્ત, તે ગામમાં વસતા, દર્ભગોત્રના વાજસનેય સબ્રહ્મચારી, ધમ્મિલ બ્રાહ્મણને, ચન્દ્ર, સુરજ, સાગર પૃથ્વી, નદીઓ અને પર્વતેના
અસ્તિત્વકાળ સુધી, પુત્ર, પૌત્ર અને વંશજોના ઉપભોગ માટે, દાનના (રૂપમાં) કર અને વેઠના (રૂપમાં) કર મુક્ત, ભૂમિચ્છિદ્રના ન્યાય અનુસાર, પાણીના અર્થથી બ્રહ્મદાય તરીકે મેં આપ્યું છે.
(પ. ૧૯ ) “આથી બ્રહ્મદેય નિયમ અનુસાર તે ખેતી કરે, ખેતી કરાવે અથવા અન્યને સોંપે ત્યારે કોઈએ તેને લેશ પણ પ્રતિબંધ કર નહિ.
( . ૨૧ ) “ અને અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્રકૃપાએ ભૂમિદાનનું ફળ સર્વ નૃપને સામાન્ય છે એમ માની, આ અમારા દાનને અનુમતિ આપવી. * પં. રર ) “અને જે આ દાન જપ્ત કરે અથવા તે જપ્ત કરવામાં અનુમતિ આપે તે પંચમહાપાતક અને અન્ય અ૯૫ પાપોને દોષી થશે. ( ૫, ૨૩ ) આને માટે વ્યાસના રચેલા ( નિચેના ) લેક છે--
[ચાલુ લેકમાંના ચાર લેક. ] ( પં. ર૭) આ મહારા મહાસામન્ત અને મહારાજ ધ્રુવસેનના સ્વહસ્ત છે. દૂતક પ્રતી હાર મમ્મક છે. આ ( દાનપત્ર ) કિકકકથી લખાયું હતું. સંવત ૨૦૭, વૈશાખ વદ ૧૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org