________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર (પંક્તિ ૧) . સ્વસ્તિ! વલભીમાંથી, મિત્રક વંશમાં શત્રુઓને બળથી નમાવનાર, અતુલ બળવાન શત્રના પ્રદેશમાં સંકડે યુદ્ધ કરીને વિજય મેળવનાર, પિતાના પ્રતાપથી નમાવેલાના અનુરાગને દાન, માન અને સરળતાથી પ્રાપ્ત કરનાર, પિતાના વંશપરંપરાના અને ભાડુતી સેવકે અને મિત્રોના બળથી રાજલક્ષમી પ્રાપ્ત કરનાર, મહેશ્વરને મહાન ભક્ત સેનાપતિ શ્રીમાનું ભટકક જન્મ્યા હતા.
(પંક્તિ ૪) હેને પુત્ર, જહેનું શિર પ્રણામ કરવાથી તેના પદરજથી રક્ત થઈ પવિત્ર થએલું, જેની પદનખ પંક્તિ હૈને નમન કરતા શત્રુઓના મુગટનાં રત્નોના તેજથી આભૂષિત થતી; જેની લક્ષમીથી દીન અને અનાથનું પાલન થતું તે, મહેશ્વરને મહાન ભકત સેનાપતિ ઘરસેન હતા.
(પંક્તિ ૬) હે હા ભાઈ જેને વિમલ મુગટમણિ હેના (ભાઈના) ચરણને નમતાં પ્રશસ્ત થએલજે મનુ આદિએ કરેલા નિયમો, વિધિવિધાનેનું આચરણ કરતા, જેણે ધર્મરાજ માફક સદાચારને માર્ગ નકકી કરેલ; જેને રાજ્યાભિષેક અખિલ ભૂમંડળને પરમસ્વામીને હસ્તે થએલો અને જેની રાજ્યશ્રી મહાદાનથી વિશુદ્ધ થએલી તે, મહેશ્વરને મહાન ભકત, મહારાજ દ્રોણસિંહ હતે.
(પંક્તિ ૧૦) હેને અનુજ સિંહ માફક સ્વબાહુબળથી જ શત્રની ગજસેનાના વ્યહીને પરાજય કરનારે શરણાગતને આશ્રયદાતા, શાસ્ત્રાર્થ તત્ત્વજ્ઞાની, કલ્પતરૂ માફક મિત્રો અને પ્રણયિ જનને વાંચ્છિત ફલનો ઉપભેગ દેનાર, ભગવનો પરમ ભકત; પરમ ભટ્ટારકને પાદાનુધ્યાત, મહાસામંત મહારાજ ધ્રુવસેન કુશળક્ષેમ હોઇ, સર્વ આયુક્તક, વિનિયુક્તક, ક્રિાંગિક, મહત્તર, સિનિક, ધુવાધિકરણિક, દામ્પ્લાશિક આદિ સર્વેને હેમને તેમના સંબંધ અનુસાર જણાવે છે કે
(પંક્તિ ૧૫) હમને જાહેર થાઓ કે, મક્કણ ગામમાં હસ્તવપ્ર આહરણિમાં કુટુંબ ઈશ્વરની માલિકીનાં ૧૪૦ પાદાવર્ત અને એક વાપી ૧૬ પાદાવર્ત વિસ્તારવાળી સાથે; તેમ જ તાપસીય ગામમાં ડિપ્તકના કબજાવાળાં ૧૪૦ પાદાવર્ત; તે ઉપરાંત તિનિશક ગામની ઈશાન સીમા પર વાપસહિત ૧૦૦ પાદાવર્ત શંકર વાટકના બે નિવાસી શાડિલ્ય ગોત્રના દેગ બ્રહ્મ ચારીઓ બ્રાહ્મણ કુમાર શર્મન અને જરભક્તિને, હારા અને મહારા માતાપિતાની પુણ્યવૃદ્ધિ માટે તથા આ લેક તેમ જ પરલોકમાં મનવાંછિત ફલપ્રાપ્તિ માટે ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીએ, અને પર્વતાના અસ્તિત્વ કાળ સૂધી, તેમના પુત્ર, પૌત્ર-પરંપરાના ઉપભોગ માટે, બલિ, ચરૂ, વૈશ્વદેવ વિગેરેની વિધિઓ કરવા હું પાણીનો અર્થ કરી બ્રહ્મદાય તરીકે આપ્યાં છે. આથી કરીને આ બે જણને, બ્રહ્મદાય નિયમાનુસાર ઉપગ કરી ખેતી કરતા હોય ત્યારે અથવા તે બીજાને સેપે ત્યારે કેઈએ પણ લેશમાત્ર પ્રતિબંધ કરે નહિ. આ અમારા દાનને, અમારા વંશજો અને ભાવિ ધમરાજાઓએ રાજસત્તા નાશવંત છે, જીવન અનિશ્ચિત છે અને દાનનું પુણ્ય સામાન્ય છે તે મનમાં રાખી, અનમતિ આપવી જોઈએ. અને જે તે જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચમહાપાપ અને બીજાં નેહાનાં પાપને દેશી થશે,
(પંક્તિ ૨૬) આને માટે વ્યાસના રચેલા બે શ્લેક પણ છે. ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦,૦૦૦ વર્ષ વિભવ ભેગવે છે અને જે તેની જતિ કરે છે અને જપ્ત કરવામાં અનુમતિ આપે છે તે તેટલાં જ વર્ષે નરકમાં વાસ કરે છે.
સગરના સમયથી માંડી, આ પૃથ્વી ઘણા નૃપએ ભેગવી છે, જે સમયે જે પૃથ્વી પતિ હશે હેને તે સમયે ફલ પ્રાપ્ત થશે.
(પંક્તિ ૨૮) મહારા, મહાસામન્ત મહારાજ ધ્રુવસેનના, વહસ્ત છે. દૂતક પ્રતીહાર મમ્મકઃ લખનાર કિર્દક. સંવત ૨૦૬, ભાદ્રપદ, શુદે ૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org