SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ स्कन्दगुप्तना जुनागढना शिलालेख સમર્થ અને તે વૃદ્ધિ પામે ત્યારે યોગ્ય જનોને પ્રદાન(આપવા)માં શક્તિમાન કયે સુજન સુરાષ્ટ્ર દેશનું રાજ્ય કરશે? મારી પાસે છે. પર્ણદત્ત નામે એક જન આ ભાર ધારણ કરવા શક્તિમાન છે. (પં. ૯) (અને તે આ પર્ણદત્ત) સુરાષ્ટ્રોની ભૂમિ એગ્ય રીતે રક્ષવા મનમાં ઘણા રાતદિવસથી અહોરાત્રિ આમ ચિન્તવન કર્યું હતું તે નૃપાધિપથી દબાણથી અને કચ્છથી નીમા હતાઃ (અ) વરૂણને પશ્ચિમમાં મૂકી જેમ દેવે સુખી થયા અને મન સ્વરથે થયું તેમ પશ્ચિમના દેશમાં પર્ણદત્તને નીમે ત્યારે આ નૃપ હૃદયમાં સુખી થયે. (પ. ૧૦) તેને પુત્ર જે પિતૃભાવસમ્પન્ન અને તેના બીજા દેહુ સમાન હતું, જે નિગ્રહથી કેળવાએલો હતું, જે સમાથી પિતાનાજ દેડ જેમ રક્ષવા યોગ્ય હતું, જે સદા આત્મશ્રદ્ધાવાળે હતો, જે નૈસર્ગિક કાન્તિમાન રૂપસમ્પન્ન હતા, જે તેના રૂપ પ્રમાણે લલિત કૃત્યથી નિત્ય આનન્દ સમ્પ સર્વ ભાતવાળો છે, જે પૂર્ણ વિકસેલાં કે તેની શિક્ષા સમાન વદન કમળ વાળે હતા, જે શરણાગતને આશ્રય હતો, જે પૃથથી પર ચલિત નામથી વિખ્યાત થયે હતું, જે પ્રજાને પ્રિય હતું, તે નિજ ઉમદા અને સંસ્કૃતિવાળા ગુણો વડે પિતાને યશ આપે છે. - (પ. ૧૧) જેનામાં વૈર્ય, પ્રભુત્વ, વિનય, નય, અને પર કમની અતિ ઉંચી તુલના રહિત શૌર્ય, છટા (?) સ્વનિગ્રહ, ઉદારતા, વિશાળ મન, દાક્ષિણ્ય, ત્રાણુ અને ઉપકારમાંથી મુક્તિ અને મગજની શૂન્યતામાંથી મુક્તિ, સૌન્દર્ય, ખરાબ ચીજો તરફ તિરસ્કાર, વિસ્મયતાથી મુક્ત, સ્થિરતા અને ઉદારતા, આ સર્વ ગુણે નિત્ય સતત નિવાસ કરે છે. અખિલ જગમાં પણ તેના ગુણોની તુલના થાય તેવા ગુણવાળો કેઈ અન્ય જન નથી; ખરેખર તે પૂર્ણપણે ગુણ જનેની ઉપમારૂપ બને છે. (પં. ૧૨) અને જાતે જ તેનામાં ઉપર જણાવેલા ગુણોનું તે મ જ તે કરતાં ઉચ્ચ ગુણના અસ્તિત્વની પરીક્ષા કરી તેના પિતાએ તેને નીમ્યો હતો અને તેણે એ નગર નું ક્ષણે એવી રીતે કર્યું કે તે નિજ પૂર્વજો કરતાં અધિક બને. અન્યના મદ ઉપર નહિ પણ ઉત્તમ ભુજના પ્રતાપ ઉપર શ્રદ્ધા રાખીને તેણે કેઇને આ નગરમાં કંઈ ચિના કરી નહિ અને દુષ્ટ જનોને દડ કર્યો. આ કલિયુગમાં પણ નગરવાસી સહિત જનમાં વિશ્વાસ ટકાવી રાખવામાં િ થયો નહિ અને સભાળ પૂર્વક દેષની તપાસ કરી ... ... .. ... બાળક ... .. સહિત સર્વ નગરવાસીઓને નવાઈ પમાડી. અને તેણે સ્મિતભર્યા વાર્તાલાપથી, માન, દાન, અન્યઅન્યના ગૃહમાં છૂટતી પ્રવેશ કરી અને પ્રેમની કુળ રીતિઓનું સંભાળથી પાલન કરી પ્રજાને સુખી કરી, પરમ ધર્મ સંપન્ન, નેહાળ, શુદ્ધ, અને યોગ્ય રીતે દાનપરાયણ તેવા તેણે ધર્મ અને અર્થના કંઈ પણ વિરોધ વિના ગ્ય સમયે પ્રાપ્ત થાય તેવા વિષય (આનન્દ) ભોગવ્યા. પર્ણદત્તમાંથી જન્મેલ તે આવા ઉચિત આચારવાળે છે તેમાં શી નવાઈ છે? મૈક્તિકમાળા કે કુમુદસમાન શીતલ ઈન્દુમાંથી ઉvણતા કદી પ્રગટે ખરી ? (પં. ૧૫) પછી ક્રમે ગરમીની ઋતુ (ઉનાળા) ને વાદળાંથી ભેદી નાંખનાર વષ હતુ આવી જ્યારે દીર્ધકાળ સુધી સતત અતિ જળવૃષ્ટિ થઈ, જેથી સુદર્શન સરવર ગુણ ગણના અનુસાર સં. ૧૩૨ પ્રૌષપદ (માસ)ની ૬ દિને રાત્રે એકાએક ફાટ્યું. અને આ અન્ય નદીઓ જે રૈવતક પર્વતમાંથી નીકળે છે, અને આ પલાશિની પણુ જે તેના રેતાળ વિસ્તારથી રમ્ય છે. તે સર્વ સમુદ્રની કાન્તાઓ દીર્ઘ કાળ બધામાં રહી હતી તે શાસ્ત્રાનુસાર પુનઃ તેમના પતિ (સાગર ) પાસે ગઈ. અને અતિ વૃષ્ટિથી થએલું મહાન આશ્ચર્ય નિરખી મહાન સાગરની પ્રિયાએને વાળી લેવા ઉર્જયત ગિરિએ તેના તીરે ઉગતાં અનેક પુષ્પથી અલંકારિત પલાશિની નદી રૂપે કર લંબા. ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy