________________
गुजरातना ऐतिहासिक लेख
નં૦૧૪
ત્રૈકૂટક વંશના વ્યાઘ્રસેનનાં સુરતનાં પતરાં
સંવત ૨૪૧
મી. એ. એમ. ટી. જેકસને જણાવ્યા પ્રમાણે આ તામ્રપત્રે સુરતથી મળેલાં છે. પત્રાં એ છે અને તે દરેકનું માપ લગભગ ૯ ઇંચ પેહેતું અને ૩ ઇંચ ઉંચાઇનું છે. લખાણુ ફક્ત અંદરની બાજુએપર જ છે. ખીજાં પતરાં કરતાં આ વધુ પાતળાં અને ઉપડતી કાર વગરનાં છે, પણ તેમાંનું લખાણ એકન્દરે સુરક્ષિત સ્થિતિમાં છે. પારડીનાં પતરાંઓની માફક આમાં પણ પહેલા પતરાની લખેલી બાજી નીચે અને તેવી જ રીતે બીજાની ઉપર એ પ્રમાણે તાર માટેનાં કાણાંએ છે. આ કાણાંએમાંથી એક લાંબે ત્રાંબાના તાર જમણી બાજુએથી પસાર કરી વાળી દેવામાં આવ્યા છે. ડાબી બાજુએ પણ કદાચ આવા તાર હશે, પણ મળી શકા નથી. પતરાંઓ તથા તારનું એકન્દર વજન ૫૦ તાલા છે.
ત્રૈકૂટક વંશના મહારાજા વ્યાઘ્રસેને વિજયી અનિરૂદ્ધપુર ' માં રહી એક બ્રાહ્મણને આપેલી જમીનની બક્ષીસનું વર્ણન લેખમાં છે. આ શહેર ત્રૈકુટક રાજાએની રાજધાનીનું શહેર જણાય છે. તે શેહેરને ( કલચુરી) સંવત ૪૦૬નાં અનુબ્રાનાં પતરાંઓમાં દાન લેનારના નિવાસ સ્થાન તરીખે ‘ વિજયી અનિરૂદ્ધપુરિ' એ પ્રમાણે લખવામાં આવ્યું છે.
વ્યાઘ્રસેન અપરાન્ત પ્રદેશમાં રાજ્ય કરવાના દાવા ધરાવે છે. કાલિદાસના રઘુવંશમાંના એ બ્લેકમાં આવતા ત્રિકૂટપર્વત, જેના ઉપરથી ત્રૈકુટકાના વંશનું નામ પડયું હાવું જોઈએ, તે અપરાન્તના રાજાના પ્રદેશમાં આવેલા હૈવાનું જણાવ્યું છે, તેને ઉપરની હકીકતથી સાખીતી
મળે છે.
રઘુવંશ ઉપર મલ્લિનાથે લખેલ વૈજયન્તી પ્રમાણે અપરાન્તનું મુખ્ય સ્થળ શૂર્પારકર, હાલનું સાપારા જણાય છે. અને તે જ ત્રૈકુટકાનું રાજવાનીનું શહેર અનિરૂદ્ધપુર હું ગણું છું. વ્યાસેને આપેલું ગામડું ઈક્ષરકી પરગણાનું પુરહિતપલ્લિકા હતું. પરન્તુ આ આળખી શકાતું નથી. ગામડાના નામ ઉપરથી કદાચ અનુમાન કરી શકાય કે તે મેળવનાર નાગશર્મા રાજકુટુંબના પુરેાહિત હતા.
*
સંવત ૨૪૧ના કાર્તિક શુદ ૧૫ ને દિને તે આપ્યું હતું. દહુસૈનનાં પારડીનાં પતરાં ઉપર ( કલચુરી ) સંવત ૨૦૭ આપેલે છે. અને સિક્કાએ ઉપરથી જણાય છે કે વ્યાઘ્રસેન દહુસેનને પુત્ર હતા. એટલે નવા લેખનું વર્ષ પશુ ઈ. સ. ૨૪૯ થી શરૂ થતા કલચુરી સંવતનું હૈયું જોઇએ. અને તેમાં આપેલા મહિનાને લીધે લેખનું વર્ષ ઈ. સ. ૪૯૦, અગર ૪૯૧ નું હાવાનું નક્કી થાય છે.
અનિરૂદ્ધપુરમાં રહેતા અપરાન્તના ત્રૈકૂટક રક્તએ વિષે સિક્કાઓ તથા લેખા ઉપરથી જેટલું જાણવામાં આવ્યું છે તે નીચેની વંશાવળીમાં આવી જાય છે ઃ-
Jain Education International
મહારાજ ઇન્દ્રદત્ત ।
મહારાજ સેન (ઇ. સ. ૪૫૬ અથવા ૪૫૭)
મહારાજ વ્યાઘ્રસેન
( ઇ. સ. ૧૯૦ અથવા ૪૯૧ )
* એ, ઈ, વેા. ૧૧ પા. ૨૧૯ પ્રેા, ઈ, હુશ્
For Personal & Private Use Only
www.jainelibrary.org