________________
નં ૬
જૂનાગઢમાં ખડક ઉપરના રુદ્રદામનના શિલાલેખ વર્ષ ૨ મુ
કાઠિયાવાડમાં જાનાગઢ શહેરથી પૂર્વમાં આશરે એક માઈલ છેટે ગિરનારના રસ્તા ઉપર જે ખડક ઉપર અશેઠનાં શાસના અને ગુપ્તવંશી રાજા સ્કન્દગુપ્તના શિલાલેખ છે તે ખડકની પશ્ચિમ બાજુએ મથાળાના ભાગમાં આ લેખ કાતરેલા છે. ૧૧ ફુટ ૧ ઇંચ પહેાળાઇ અને ૫ ફુટ પ ઇંચ ઉંચાઈવાળી જગામાં સાદી કાતરેલી ન્હાની મ્હાટી વીસ પંક્તિને આ લેખ છે. છેલી ચાર પંક્તિ માત્ર સુરક્ષિત છે, જયારે બાકીની બધી પંક્તિએના અમુક અમુક ભાગ ઘસાઈ ગયા છે. એકંદર લેખની લંબાઈ ૧૯૦૦ ઈંચ ગણુતા ૨૭૫ ઇંચ જેટલા ભાગ એટલે કે આખા લેખના હૈ ભાગ નષ્ટ થએલ છે. બાકીના ભાગમાં અક્ષરા સુરક્ષિત છે અને નિઃસંશય વાંચી શકાય છે. અક્ષરની ઉંચાઈ સરેરાસ ૢ ઇંચ છે.
ડૉ. લીટના મત અનુસાર લેખની લિપિ તે જ ખડક ઉપરના સ્કન્દગુપ્તના લેખની દક્ષિણુ માજીની લિપિના પૂર્વ સ્વરૂપ જેવી છે.
ભાષા સંસ્કૃત છે અને લેખ આખા ગદ્યમય છે. લેખની ઇબારત સાદી અને સરળ છે. જે સુદર્શન તળાવ પાસે લેખ કેાતરાએલે છે તેને મહાક્ષત્રપ રુદ્રદામાએ દુરૂસ્ત કરાવ્યું તે નાંધવાનો આશય લેખમાં છે.
પંક્તિ ૧-૩ માં તળાવની અત્યારની ઉત્તમ સ્થિતિનું વર્ણન છે. ૫. ૩-૭ માં રુદ્રદામનના સમયમાં તે તૂટ્યાની હકીકત છે. બધું પાણી નીકળી જવાથી સુદર્શન દર્શન થયાનું વર્ણન પં. ૭–૮ માં છે. મૈર્ય ચન્દ્રગુપ્તના સમયમાં બંધાયુ અને મૈર્ય અશાકના સમયમાં પૂર્ણ દશાએ પહેાંચ્યાનું પં ૮-૯ માં વર્ણન છે. રુદ્રદામાના પ્રાંતિક સુખા સુવિશાખે ફરી સમરાવ્યું, એમ પં, ૯-૨૦ સુધીમાં માલુમ પડે છે.
આ લેખમાં ઉપરની હકીકત ઉપરાંત સંશેાધન કરવા લાયક કેટલીક હકીકત છે. લેખમાં મુખ્ય પુરૂષ પાશ્ચાત્ય મહા ક્ષત્રપ રાજા રુદ્રદામન છે. તેના પિતા ક્ષત્રપ જયદામનનું નામ પં. ૪ થી માં છે, પણ તે વંચાતું નથી. તેના પિતામહુ મહાક્ષત્રપ સ્વામિ ચષ્ટનનું નામ ૫. ૪ માં છે. પં. ૧૫ માં આપેલા બીરૂદ ઉપરથી સમજાય છે કે રુદ્રદામાએ મહાક્ષત્રપના ઇલ્કામ પોતે મેળવ્યા હતા. પં. ૧૧ અને ૧૨ માં આપેલાં ખીજાં બીરૂદ ઉપરથી માહિતી મળે છે કે રુદ્રદામા પોતાના બાહુબળથી પૂર્વ અને પશ્ચિમ આકરાન્તિ, અનુદેશ, આનર્ત, સુરાષ્ટ્ર, સ્વત્રં, મરૂ, કચ્છ, સિન્ધુ સૌવીર, કુકુર, અપ્રાન્ત, નિષાદ અને બીજા દેશેાના પ્રભુ બન્યા હતા. તેમજ તેણે યૌધેયનું નિકન્દન કાઢ્યું અને દક્ષિણાપથના શાતકાણને બે વાર હરાવ્યા છતાં નજીકના સંખન્ધને લીધે હણ્યા નહતા. જે તાફાનથી સુદર્શન તુટયું તેની તિથિ ૭૨ મા વર્ષના માર્ગશીર્ષના કૃષ્ણપક્ષની પ્રતિપદા આપેલી છે ૭૨ મું વર્ષ રુદ્રદામાનું લખ્યું છે, પણ તેના અર્થ રુદ્ર દામાના સમયમાં પ્રચલિત સંવતનું ૭ર મું વર્ષે એમ હોવા જોઇએ. તે સંવત શકસંવત છે, એમ સર્વમાન્ય છે અને તે ગણત્રી મુજબ તે તિથિ ઇ. સ. ૧૫૦ ની ૧૬ મી નવેમ્બરે હાવી જોઈએ. આ લેખ તેથી ૧૫૧ કે ૧૫૨ માં કાતરાયેલા હાવા જોઈએ.
પંક્તિ ૧૮–૧૯ માં સ્પ જણાય છે કે અન્યનું કાર્ય જે શાખે પાર મૂક્યું તે કુલૈપના દીકરા અને પહુવ હતા અને તેને આનર્ત અને સુરાષ્ટ્રના સૂમે રુદ્રદામાએ નિમેલા હતા. ચન્દ્રગુપ્ત અને અશેકના સમયમાં તે સંબન્ધી બાંધકામ કરનારા તરીકે વૈશ્ય પુષ્પગુપ્ત અને યવન રાજા તુશાનાં નામ આપેલા છે.
પ્રસ્તુત સુદર્શન તળાવ ઉપરાંત ખીર્જા સ્થળનાં નામા નીચે મુજખ મળી આવે છે: ગિરિનગર ( ૫. ૧) ઊર્જ઼યત (પં. પ્ ) અને સુવર્ણસિકતા અને પલાશિની ન્દીનાં નામ પં. પ અને ૬ માં આપેલ છે. આમાનું ગિરિનગર તે જૂનાગઢનું પ્રાચીન નામ છે અને ઊયત તે અત્યારે ગિરનાર તરીકે પ્રસિદ્ધ છે. એ નદીમાંથી સુવર્ણસિકતાને સાનરેખા ડો. ભગવાનલાલ ઇન્દ્રજીએ માનેલ છે. પલાશિની તે અત્યારના પલાંશિ વાકળા હાવા જોઇએ, એમ હું માનું છું.
६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org