________________
નં. ૯૪ શીલાદિત્ય ૫ માનાં ગોંડળનાં તામ્રપત્ર
સં ૪૦૩ વૈ. સુ. ૧૩ કાઠિયાવાડમાં આસિરટ પિલીટીકલ એજન્ટ કે પટન ફીલીપ્સ જેના તાબામાં ગેંડલ સ્ટેટ હતું તેના તરફથી આ પતરાં મળેલાં હતાં. તે શીલાદિત્ય પ માનાં છે અને અત્યાર સુધી મળેલાં પતરાંઓમાં સૌથી છેલ્લામાં છેલ્લાં છે. રાજઓ નુક્રમે વ તે ૪૦૩ માઘ. વ. ૧૨ ના દાનપત્રમાં આપેલા મુજબ જ છે.
ઉપર બતાવ્યા નંબર અનુસાર નામો આ દાનપત્રમાં આપેલ છે. ( ૫ ) ખરગ્રહ તે શીલાદિત્ય ધર્માદિત્યનો દીકરે કહે છે, પણ બીજાં પરાંઓમાં તેને અનુજ એટલે નાને ભાઈ વર્ણવ્યા છે ( ૮) ધરસેન પછી ( 8 ) શીલાદિત્યના વંશજના વર્ણનપ્રસંગે ( ૪) શીલાદિત્યને (૮) ધરસેનના પિતામહના ભાઈ તરીકે વર્ણ છે અને ( ૫ ) ખરગ્રહ ને પણ (૪) શીલાદિત્યના ભાઈ તરીકે વર્ણવ્યા છે, તેથી “ અનુજ “ ના ભાઈ એ સાચે પાઠ છે.
(૬) ધરસેનને આમાં ધ્રુવન લખે છે, પણ ૪૦૩ ના માઘ. વ. ૧૨ ના દાનપત્રમાં તેને ધરસેન કહ્યો છે, જે પાઠ સાચે છે, એમ બીજાં દાનપથી સિદ્ધ થાય છે.
(૯) ડેરભટ્ટને બીજાં દાનપત્રોમાં અજન્મા તરીકે વર્ણવ્યું છે, પણ આમાં અગ્રજન્મા કહ્યો, પણ તે ભૂલ લાગે છે.
(૧૨ ) શીલાદિત્યથી (૧૫) સુધીના બધા રાજાઓને માત્ર શીલાદિત્ય દેવ કહ્યા છે, પણ તેઓને જુદા પાડવાનું કોઈ સાધન નથી. હવે પછીનાં બીજ પતરાઓમાંથી કદાચ તે સાધન મળે, એ સંભવ છે.
(૧૫) શીલાદિત્ય (મો) દાન આપનાર રાજ છે. સંવત્ ૪૦૩ વૈશાખ સુદિ ૧૩ આપેલ છે. દાન દાદર ભૂતિના પુત્ર વાસુદેવ ભૂતિ ચાતુર્વેદીને આપેલું છે. તે નદી ગાગ્યે શેત્રને હતું અને વર્ધમાન ભક્તિમાંથી નીકળી આવીને લિપ્તિ ખંડમાં રહેતો હતો. કાઢજ ગામ દાનમાં આપેલું છે અને તે સુરાષ્ટ્રમાં ઉસિંઘની પાસે આવેલું છે.
કેપ્ટન ફીલીસ લખે છે કે આ પતરાં ઢાંકમાંથી મળેલાં હતાં. તે ઢાંક કાઠિયાવાડમાં છે અને ગેંડળ રાજના તાબામાં છે. આની આસપાસ વાચી ગામડાંઓ છે, જેમાં શોધખોળ કરવા જેવું છે.
૧ જ. બો. બ્રજે. એ. સે. વો. ૧૧ પા. ૩૩૫ એ. ર, સા. વિશ્વનાથ નારાયણ મંડલિક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org