________________
२५८
गुजरातना ऐतिहासिक लेख આપેલી ભૂમિ વર્જ કરી, ભૂમિછિદ્રના ન્યાયથી, ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતેના અસ્તિત્વ કાળ સુધી પુત્ર, પૌત્ર, અને વંશજોના યોગ્ય ઉપગ માટે પાણીના અર્થથી મેં આપ્યું છે. આથી તે ધર્મદાન અનુસાર ઉપગ કરે, ખેતી કરે, કે ખેતી કરાવે, અથવા અન્યને સેપે, તે કેઈએ તેને પ્રતિબંધ કરવું નહીં. અમારા વંશના કે અન્ય ભાવિ નૃપેએ ઐશ્વર્ય ચંચળ છે, જીવિત અસ્થિર છે, અને ભૂમિદાનનું ફળ સર્વને સામાન્ય છે એમ માનીને આ અમારા ધર્મદાનને અનુમતિ આપવી. કહ્યું છે કે સગર આદિ ઘણું નૃપાએ પૃથ્વીને ઉપભેગ કર્યો છે પણ જે સમયે જે ભૂમિપતિ હોય તેને તે સમયનું ફળ છે. આગેલા અન્ન અને તેથી નિર્માલ્ય (માલ વિનાનું, પુનઃ હરી લેવા જેવું નહિ તે) સમાન દાનમાં આપેલું ધન યે સુજન દારિદ્રથી પિડાઈ પુનઃ લઈ લેશે ? ભૂમિનું ધર્મદાન કરનાર ૬૦,૦૦૦ વર્ષ સ્વર્ગમાં વસે છે. પણ તે હરી લે કે હરી લેવા દે છે તે તેટલાં જ વર્ષ નર્કમાં વાસ કરે છે. આમાં દૂતક રાજપુત્ર પર ગ્રહ છે. આ દિવિરપતિ શ્રીહરધન, સેનાપતિ બપ-ભેજિકના પુત્રથી લખાયું છે. સં. ૩૭૫ જેષ્ઠ વદિ. ૫. આ મારા સ્વહસ્ત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org