SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ गुजरातना ऐतिहासिक लेख અતિ આનન્દી પ્રકૃતિને હતો, જેની અકૃત્રિમ નમ્રતા અને વિનય તેનાં ભૂષણ હતાં, જેણે અનેક રણક્ષેત્રમાં વિજયદેવજ ધારનાર પ્રબળ અને વિશાળ કરથી નિજ સર્વ શત્રઓના મદને નાશ કર્યો હતે, અને જેની આજ્ઞાને નિજ ધનુષ્યના બળથી પરાજય કરેલી શસ્ત્રકળાવાળા અખિલ નૃપમંડળથી સ્વીકાર થતો, તે પરમ માહેશ્વર શ્રી ધરસેન હતે. હેને અનુજ અને તેને પાદાઅધ્યાત જે સત્કૃત્યમાં પૂર્વના સર્વ નૃપ કરતાં અધિક હતા, જે અતિ કઠણ કાર્યો પૂર્ણ કરતે, જે પરાક્રમના સાક્ષાત મનુષ્યરૂપે હતા, જેની પ્રજા તે પિતે મનુ હોય તેમ તેના મહાન ગુણેના પ્રેમથી પૂર્ણ હૃદયથી તેને માન આપતી, જે કલંકરહિત, પૂર્ણ, ઉજજવળ અને અન્યને આનન્દ આપનાર સાક્ષાત્ શશિસમાન હતું, જે (તેના મહાન્ પ્રતાપના ) ઉજજવળ તેજથી સર્વ દિશા ભરી તિમિર હણનાર અને નિત્ય પ્રકાશને સૂર્ય હતું, જે અર્થપ્રાપ્તિ, અનેક પ્રજનની વૃદ્ધિમાં અને ઉન્નતિની વૃદ્ધિ અર્થે નિજ પ્રજામાં વિશ્વાસ ઉત્પન્ન કરતે, સમાસ, વિગ્રહ અને સંધિનાં કાર્યોના નિશ્ચયમાં નિપુણ [સંધિ અથવા સ્વરશાસ્ત્રના નિયમમાં-સમાસ છૂટો કરવામાં અને સમાસમાં નિપુણ ] ગ્ય સ્થાને આદેશ કરતે, [ મૂળ રથાનમાં આદેશ કરનાર ] અને સાધુઓને નીચા સ્થાનથી સંસ્કાર કરી માન આપતા [ ગુણ અને વૃદ્ધિના ફેરફારથી શબ્દોને સાચું રૂપ આપતે ], અને શાલાતુરીયની કળામાં નિપુણ હતા તે પરમ માહેશ્વર ધ્રુવસેન હતા. તે અતિ વિક્રમસંપન્ન હતા, છતાં દયાથી મૃદુ હૃદયવાળે હતે, વિદ્વાન હતું છતાં મદરહિત હતા, તે વલલભ હતા, છતાં તેની વાસનાઓ વશ હતી, નિત્ય માયાળુ હતા છતાં દેષીને તે તજી દેતેઃ તેણે તેના ઉદય સમયે જનેમાં પ્રકટેલા અને ભૂમિમાં પ્રસરેલા અનુરાગથી તેનું બાલાદિત્ય( ઉષાના સૂય )નું બીજું નામ સત્ય કર્યું. તેના પુત્ર, તેના પિતાના ચરણકમળને પ્રણામ કરતાં ભૂમિ પર ઘર્ષણથી થએલા ચિન્હરૂપી ઈન્દુકલા લલાટ પર ધારનાર, જેની મહાન્ વિદ્યા હૈના રમ્ય કર્ણ પર બાળપણમાં ધારેલાં મૌક્તિક અલંકારસમાન શુદ્ધ છે, જેનાં કરકમળ દાન [ આપતાં રેડેલા ] જળથી સદા દેવાતા, જેને આનન્દ કન્યાના કરના મૃદુગ્રહણસમાન મૃદુ કરગ્રહી ઉન્નત થતું, જેણે ધનુર્વેદ માફક પિતાના ધનુષ્યથી જગતમાં સર્વ લક્ષિત વસ્તુઓ કરી છે, જેની આજ્ઞાનું પાલન સર્વ નમન કરતા નૃપના મંડળથી શિર પર ધારેલાં રને માફક થતું, તે નિજ પિતાને પાદાનુધ્યાત, પરમમાહેશ્વર, પરમભટ્ટારક મહારાજાધિરાજ, પરમેશ્વર અને ચકવતી શ્રી ધરસેન હતા. તે કુશળ હાલતમાં આ શાસનની સાથે સંબંધવાળા સર્વને શાસન કરે છે – તેમને જાહેર થાઓ કે મારા માતા પિતાના પુણ્યની વૃદ્ધિઅર્થે બકરાપદ્રની દક્ષિણમાં પર પાદાવર્તનું એક ક્ષેત્ર, કિકકટાપુત્ર વિષય, સુરાષ્ટ્રમાં કાલાપક પથમાં એક ગામ બ્રાહ્મણ ગુહઢયના પુત્ર, કિકટાપુત્રમાં વસતા, પૂર્વે સિંહપુરના સિંહપુરના ચાર વેદ જાણતા દ્વિજમાં માન પામેલા, ભારદ્વાજ શેત્રના અને ઇન્ટેગ સબ્રહ્મચારી બ્રાહ્મણ અજુનને આપ્યું છે. ક્ષેત્રની સીમા –પૂર્વે વિન્ડલ્સ-કકવાપી, દક્ષિણે વજુકસકકક્ષેત્ર; પશ્ચિમે કુટુંમ્બિ વિસ્ફલસત્કકક્ષેત્ર, ઉત્તરે બ્રામ્હણ ષષ્ટિ ભવસધ્ધન ક્ષેત્ર. અને વળી બ્રાહ્મણ હદયના પુત્ર, કિકકટાપુત્રમાં વસતા, પૂર્વ સિંહપુરના, સિહપુરના ચાર વેદ જાણતા દ્વિજેથી માન પામેલા, ભારદ્વાજ શેત્રના, છન્વેગ સબ્રહ્મચારી બ્રાહ્મણ મનુ સ્વામિનને, સુરાષ્ટ્રમાં કલપ .. . . માં, કિકક . . ... ગામની પશ્ચિમ હદપર ૧૬ (સેળ ) પાદાવર્તને એક વાપી. જેની સીમા:- પૂર્વ ચત્રસત્કક વાપી, દક્ષિણે અને પશ્ચિમે કુટુંમ્બિ ચદ્રસત્કક ક્ષેત્ર અને ઉત્તરે મહક . . . ક્ષેત્ર તથા વર્કરાપદ્રક ગામની પશ્ચિમ હદપર કિકકટાપુત્ર વિષય, ૨૮ પારાવર્તનું ક્ષેત્ર જેની સીમા-... ... .. તથા ૧૪ પાદાવર્તનું એક ક્ષેત્ર જેની સીમા- . . . , તથા ૬ પત્તકે જેની સીમા -પૂર્વ . • દક્ષિણે ... , પશ્ચિમે .... ,, અને ઉત્તરે પટાનક ગામની હદપર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy