________________
ध्रुवसेन २ जानां गोरसनां ताम्रपत्री (૨) તથા આ બહુમૂલ નામના ગામડામાં જ તેની પશ્ચિમ દિશામાં એક બીજું ૧૦૦ પાદાવનું ત્રણ ભાગવાળું ક્ષેત્ર આપેલું છે. પહેલા ભાગની સીમા : પૂર્વે બ્રાહ્મણ ભાવનું ક્ષેત્ર, દક્ષિણે સંઘનું ક્ષેત્ર, પશ્ચિમે સ્થવિરનું બ્રહ્મદેય ક્ષેત્ર, અને ઉત્તરે કુટુંબિ કુહુન્ડકનું ક્ષેત્ર છે. બીજા ભાગની સીમા ઃ પૂર્વે સ્થવિરનું બ્રહ્મદેય ક્ષેત્ર, દક્ષિણે કુમારભેગનું બ્રહ્મદેય ક્ષેત્ર, પશ્ચિમે ગુણનું બ્રાદેય ક્ષેત્ર, અને ઉત્તરે પછી શૂરનું બ્રહ્મદેય ક્ષેત્ર - ત્રીજા ભાગની સીમા–પૂર્વે સંઘનું ક્ષેત્ર, દક્ષિણે ગેરકેશની હદ, પશ્ચિમે પણ ગેરકેશની હદ, અને ઉત્તરે કુમાર ભેગનું બ્રહ્મદેય ક્ષેત્ર.
આ દાનપત્રને દતક, અમલ કરનાર અધિકારી સામંત શીલાદિત્ય છે. તે રાજકુટુંબને હોય એવું લાગે છે. સં. ૩૧૦ ના દાનપત્રમાં પણ એ જ માણસ દંતક છે. પરંતુ ધ્રુવસેનનાં બીજાં દાનપત્રોમાં દતક રાજપુત્ર ખરગ્રહ છે.
આ દાનપત્ર મુખ્ય મંત્રી (દવિરપતિ) વવભટિ જે સંધિ અને વિગ્રહને પણ મંત્રી હતા, (લૈંધિવિશ્રાપિત ) તેણે લખ્યું હતું. સંવત્ ૩૧૦ ના દાનપત્રને પણ એ લેખક હતે.
દાનપત્રમાં લખેલાં સ્થળોમાંથી, વેલાપ ચક્કસપણે ઓળખી શકાતું નથી. પરંતુ તે સં. ૨૧૦ અને ઉપર નાં બીજાં બે દાનપત્રમાં લખેલું છે. સંવત્ ૨૫ર ના દાનપત્રમાં ઝારીસ્થલીમાં આવેલું જણાવેલું છે. કાઠિયાવાડના અમરેલી ડિસ્ટ્રિકટના હાલના “ઝાર' સાથે ઝારી ઓળખાવી શકાય.
ગોરકેશ, હાલનું, ભાવનગર સ્ટેટના મહુવા ડિસ્ટ્રિકટનું ગોરસ ગામડું, જ્યાંથી આ પતરાં મળ્યાં છે તે જ છે. બહુમૂલ ગામ, વટપલ્લિકા સ્થલીમાં આવેલું, સં. ર૪૮ ના દાનપત્રમાં પણ આપેલું છે, પણ ઓળખી શકાતું નથી.
૧ જુઓ એ. ઈ. વો ૧૫ પા. ર૫૫ અને ૧૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org