________________
નં ૬૫
ધ્રુવસેન ૨ જાનાં ગારસનાં તામ્રપા
[ ગુપ્ત] સંવત્ ૩૧૩ શ્રાવણ સુદ ૧૪
આ બે પતરાંઓનું એક સંપૂર્ણ દાન બનેલું છે. તે કાઠિયાવાડમાં ભાવનગર સ્ટેટના મહુવા ડિસ્ટ્રિકટના ગારસ નામના ગામડામાંથી ઈ. સ. ૧૯૦૮ માં મળી આવ્યાં હતાં, અને હાલ ભાવ નગરના બારટન મ્યુઝીયમમાં રાખ્યાં છે.
આ પતરાંએ અતિ સુરક્ષિત સ્થિતિમાં છે અને તેનું વજન આશરે ૧૬ પોંડ છે. વલભી રાજાઓની હમ્મેશની મુદ્રા વડે તે એક બીજા સાથે જોડેલાં છે. તેની એક જ ખાજુ ઉપર લખાણ છે, અને તેનું માપ ૧૫”×૧૧” છે. ચાર હાંસીઆએ ઉપર તેની કેાર ઉંડી વાળી લખાણનું રક્ષણ કરેલું છે. પહેલા પતરા ઉપર ૨૪ અને બીજા ઉપર ૨૫ પંકિતએ લખેલી છે.
અક્ષરે મેટા અને ચાકખા કાતરેલા ટાઈ સહેલાઇથી વાંચી શકાય છે.
પરમમાહેશ્વર શ્રી–ધ્રુવસેન, જેને બાલાદિત્ય પણ કહે છે, તેણે આ દાનપત્ર વલભીમાંથી જાહેર કર્યું છે. પેાતાનાં કોઈ પણ દાનપત્રામાં તે કેાઈ રાજકીય ઇકામ ધારણ કરતા નથી, પ્રશંસા વાણી પ્રસ્તાવન, તથા તેના પહેલાંના રાજાએનું વર્ણન, ઇ. એ. ૬. પા. ૧૨. માં પ્રસિદ્ધ કરેલાં સંવત ૩૧૦ નાં તેનાં દાન મુજબ જ છે.
દાનપત્રની તારીખ, સંવત્ ૩૧૩ ના શ્રાવણ શુઃ ૧૪ છે. આ રાજાનું વહેલામાં વડેલું દાનપત્ર ઉપર કહ્યું તે ( સ’વત ૩૧૦ નું) છે, અને મેડામાં મેાડું સેં. ૩૨૧ નું છે. ( જુએ, એ. ઇ. ૮, પા.૧૯૪) આ જ રાજાનાં બીજાં એ વધારે દાનપત્રે બન્ને સં. ૩૨૦ ન, જે. ખી, બી. આર. એ. એસ. વે. ૨૦ પા. ૬ અને એ. ઇ. વેા. ૮, પા. ૧૮૯ માં પ્રસિદ્ધ કર્યા' હતાં. આ રાજાનું એક વધારે સંવત્ ૩૧૨ નું દાનપત્ર અપ્રસિદ્ધ રહ્યું છે.
આ દાન લેનાર સામવેદના અનુયાયી અને કષ્ઠિલ' ગાત્રતા એ બ્રાહ્મણે છે. તેઓ વેલાપદ્મ છેાડી ગારકેશ આવી વસ્યા હતા. એક બ્રાહ્મણનું નામ દેવકુલ હતું, તે શમ્મેન નામના બ્રાહ્મણના પુત્ર હતેા. બીજો, જે પહેલાના ભત્રિજોર હતા, તે બ્રાહ્મણ ઢત્તિલના પુત્ર, ભાદ નામનેા હતેા.
તેમેને આપેલી મિલ્કતનું વર્ણન નીચે પ્રમાણે છે.
( ૧ ) સુરાષ્ટ્રમાં વટપલ્લિકા પ્રદેશમાં આવેલાં મહુમૂલ નામના ગામડામાં એક ૧૦૦ પાદાવર્તનું ત્રણ ભાગવાળું ક્ષેત્ર. પહેલે ભાગ તે ગામની નૈરૂત્યમાં આવેલે છે. તેની સીમા—પૂર્વે આમ્રગત્તાં, દક્ષિણે પણ આમ્રગō, પશ્ચિમે સંઘનું ક્ષેત્ર, ( અને ) ઉત્તરે દેવીનું ક્ષેત્ર છે. તેની પશ્ચિમ દિશામાં બીજો ભાગ આવેલે છે, જેની સીમા—પૂર્વે કુમારભેગને બ્રહ્મદેય' તરીકે આપેલું ક્ષેત્ર, દક્ષિણે ગારકેશ ( ગામ )ની હદ, પશ્ચિમે પણ ગારકેશની હદ, અને છુટ્ટકનું ક્ષેત્ર છે. એ જ પ્રમાણે તે જ પશ્ચિમ દિશામાં ત્રીજો ભાગ છે. તેની સીમા—પૂર્વે ગારક્ષિતપ ક્ષેત્ર દક્ષિણે સ્થવિરકનું બ્રહ્મદેય ક્ષેત્ર, પશ્ચિમે ષષ્ઠીર, ( અને ) ઉત્તરે કુટુમ્બિ કુણ્ડકનું ક્ષેત્ર.
જ. ખા, બ્રાં રા, એ, સેા. ન્યુ. સી. વેા. ૧ પા, ૫૦-૫૩ ડી. બી. દુિલકર, ૧ આ શબ્દની ગાત્રના અર્થમાં વપરાશ માટે જીએ સિદ્ધાન્તકૌમુદી પ્ર. ૭ પા. ૩ ક્ષેા. ૪૧ ૨ ખીજે બ્રાહ્મણુ ભાદ, દેવકુલ અથવા તેના આપ શર્મનના ભત્રિજો હતેા કે નહિં તે સ્પષ્ટ નથી. આગલી હકીકતમાં અને દાન લેનારા કાકા ભત્રિજ્ઞના સમ્બન્ધી તરીકે છે. જ્યારે પાછલી હકીકતમાં પિત્રાઈ તરીકે છે. ૩ આ કદાચ મિમ્માના મઠ હશે કે જેનું દાન તે જ ગામમાં ૬૫ વર્ષ પહેલાં અપાયું હતું (જીએ સંવત ૨૪૮ નુ' દાનપત્ર ઈ. એ, વેા.પ,પા.૨૦૬) ૪ સાધારણ દાન સાથે નહિ અપાતા ચોકક્સ હુકા સહિત બ્રહ્મદેય દાન હેાય છે. ૫ ઢોરોને ચરવા માટેની જગ્યા (સરખાવે। મરાઠી શબ્દ ગાયરાન)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org