________________
નં. ૬૦ શીલાદિત્ય (ઉ ધર્માદિત્ય) ૧ લાનાં તામ્રપત્રો
આ બે પતરાંઓને બધી બાજુએ ડું નુકશાન થયું છે. દરેક પતરાનું કડી માટેનું જમણી બાજુનું કાણું ચેખું દેખાય છે. સહુથી વધારે નુકશાન દોનનું વર્ષ બતાવનારા ભાગને થયું છે. ઉપલી બાજુમાં ચેડા અક્ષરે ઝાંખા થઈ ગયા છે. પરંતુ જેટલા અક્ષરો સ્પષ્ટ છે તેટલા બહુ સંભાળપૂર્વક અને સુંદર રીતે કેતર્યા છે. શીલાદિત્ય ૧ લાનાં દાનપત્રો સાધારણ રીતે લખાણની ભૂલ વગરનાં છે. તેથી આ દાનમાં પણ લખાણની અને કેતારક મની ભૂલો કવચિત જ છે.
પતરાંઓ લગભગ ૧૧”x૪” માપનાં છે. પહેલા પતરામાં ૧૯ પંક્તિઓ અને બીજામાં ૧૭ પંક્તિઓ લખેલી છે.
જે સ્થળેથી દાન આપ્યું હતું તે સ્થળનાં નામવાળો ભાગ ભાંગી ગયા છે. તેવી જ રીતે રાજાનું ખુદ નામ જે ભાગમાં હતું તે ભાગ ભાંગી ગયો છે. પણ તેને બીજાં નામને છેડો ભાગ ૧૯મી પંક્તિમાં જણાય છે.
- આ એક બોદ્ધ દાન છે. અને તે વશકરના સ્વતલમાં દાન આપનાર રાજાએ પિતે બંધાવેલા વિહારને આપ્યું છે. આ રાજાના સં. ૨૮૬ના એક બીજા દાનપત્રમાં આ જ વિહાર બતાવ્યો છે. પરંતુ તેમાં તે બંધાવનાર રાજાનું નામ આપ્યું નથી. - વિહારને દાનમાં બે ગામો આપ્યાં છે. તેમાંનું એક, વ્યાધિન્નાનક નામનું, સરક પ્રદેશમાં આપ્યું હતું. બીજા ગામનું નામ, તયા જે પ્રદેશમાં તે આવેલું હતું તેનું નામ વાંચી શકાતું નથી.
દૂતક ખરગ્રહ છે. લેખકનું નામ નાશ પામ્યું છે. પરંતુ તેને લગાડેલાં વિશેષણ, જે રક્ષિત છે તે પરથી તથા તે રાજાનાં બીજાં દાને પરથી તે સંધિવિગ્રહધિકૃત તથા મુખ્ય મંત્રી વત્રભક્ટિ હવે જોઈએ, એમ કહી શકાય.
ભાંગી ગયેલા ભાગ સાથે દાનનાં વર્ષ તથા માસ નાશ પામ્યાં છે. પણ પખવાડીયું રક્ષિત છે. આ દાનને દૂતક, ખરચંડ સં.૨૯૦ નાં દાનપત્રમાં આવે છે, પણ સં. ૨૮૬ ના દાનપત્રોમાં આવતું નથી. આ ઉપરથી દાનપત્રનું વર્ષ અટકળે નક્કી કરી શકાય. તેથી આ શીલાદિત્યનાં અંતના વખતનાં દાનપત્રોમાંનું એક છે.
આ દાનનું ખાસ મહત્ત્વ એ છે કે ફક્ત આના ઉપરથી જ આપણને જાણવામાં આવે છે કે શીલાદિત્યે પોતે એક બૌદ્ધવિહાર બંધાવ્યું હતો. આથી જણાય છે કે તેણે ઉત્તરાવસ્થામાં, ગુહસેનની માફક, બૌદ્ધધર્મ સ્વીકાર્યો હતે. (ઇં. એ. . ૫, ૫. ૨૦૬)
જ. છે. બ્રા. જે. એ. સે. ન્યુ, સી. ધો. ૧ ૨
૩૧-૧૨ ડી. બી, દિકલકર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org