________________
गुजरातना ऐतिहासिक लेख
मौर्यवंशी राजा अशोकनां धर्मशासनो કાઠિયાવાડ દ્વીપકલ્પમાંના જૂનાગઢ રાજ્યના રાજધાનીના શેહેર જૂનાગઢની પૂર્વે આશરે એક માઇલ છેટે અશોકનાં પ્રસિદ્ધ ચાદ શાસને મળી આવ્યાં છે તે હેટા અને પવિત્ર ગિરનાર પર્વતની આસપાસની ખીણુમાં જવાના સાંકડા માર્ગ ઉપર આવેલાં છે. જમીનની સપાટીથી બાર ફીટ ઉંચાઈવાળા અને નીચેના ભાગમાં ૭૫ ફીટના પરિઘવાળા વિશાળ ગેળ કરેલા અને લગભગ શંક આકૃતિવાળા ગ્રેનાઈટના ખડકની સે ચોરસ ફીટથી પણું વધારે ખડબચડી સપાટી ઉપર આ લેખ પથરાયેલો છે. અશોકનાં શાસને ઉપરાંત આ ખડક ઉપર બીજા બે લેખ કતરેલા છે, જેમાં એક મૌર્ય રાજા ચન્દ્રગુપ્તના પ્રાંતિક સુબા વૈશ્ય પુષ્યગુપ્ત બંધાવેલા સુદર્શન તળાવમાં સમારકામ સંબંધી મહાક્ષત્રપ રુદ્રદામનના સમયને છે. બીજો લેખ ગુપ્તરાજા સ્કન્દગુપ્તના સમયને છે અને સુરાષ્ટ્રના સુબા અને પર્ણદત્તના દીકરા ચક્રપાલિકે ઈ. સ. ૪૫૬-૭ માં કરાયેલા વિશેષ સમારકામ સંબંધી છે.
અશોક લેખ ખડકની ઈશાન બાજી ઉપર છે. ચિદ શાસને પડખોપડખ બે હારે ગોઠવેલાં છે. અને સીધી લીટીથી એક બીજાથી જુદાં પડાયેલાં છે. ડાબી બાજુની હારમાં એકથી પાંચ અને જમણી બાજુએ થી ૧૨ શાસને છે. તેરમું અને ચિદમું શાસન અનુક્રમે પાંચમા અને બારમા શાસન નીચે છે.
મેજર જેમ્સ ટોડ ઈ. સ. ૧૮૨૨ ના ડીસેમ્બરમાં ગિરનાર ઉપર ગએલ ત્યારે આ લેખ આબાદ સ્થિતિમાં હતા. ત્યાર બાદ જાનાગઢથી ગિરનાર જવાને બન્ધ બાંધતી વખતે આ લેખના પાંચમા અને તેરમા શાસનના અમુક ભાગ સુરંગથી ઉરાડી દીધા હતા. અત્યારે આ લેખ ઉપર ડો. જેમ્સ બરસની ભલામણથી છાપરું ઉભું કરવામાં આવ્યું છે.
તેરમા શાસનના ગુમ થએલ ભાગને બે કટકા હાલમાં મળ્યા છે અને તે જૂનાગઢ મ્યુઝિયમમાં સુરક્ષિત છે.
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org