________________
નં ૫૧
શીલાદિત્ય ૧ લા(ધર્માદિત્ય )નાં પાલિતાણાનાં તામ્રપત્રા
સંવત્ ૨૮૬ વૈશાખ વદ ૬
રાય બહાદુર વિ. વૈંકય્યએ મારા ઉપર કૃપા કરીને આ પતરાનું વર્ણન નીચે પ્રમાણે આપ્યું છેઃ- લેખનું એક જ * પતરૂં સાચવેલું છે. તેને નીચેના ભાગમાં એ કડીઓનાં કાણાં છે; પરંતુ કડી અથવા તેના પરની મુદ્રા મળી શકતાં નથી. પતરાના એક ન્હાના કકડા ઉપરના ડાબા ખુણાપરથી ભાંગી જવાથી ચિહ્નના થોડા ભાગ મગડી ગયા છે. એ જ પ્રમાણે ૧૦ મી પંક્તિની શરૂવાતના થોડા ભાગ પણ ગયા છે, પરંતુ એક પણ અક્ષરને નુકશાન થયું નથી. પતરાની એક જ બાજુએ કાતર કામ કરેલું છે. અને કાતરનારનાં માજારાનાં ચિહ્નો પાછળની મનુએ સંપૂર્ણ રીતે દેખાય છે. પતરાની લંબાઈ ૧૧’થી ૧૧”ની છે અને ઉંચાઈ લગભગ ૮” છે.
પતરા ઉપર સુંદર રીતે લખેલી ૧૮ પંક્તિ છે. દરેક અક્ષરની સરાસરી ઉંચાઈ 3” છે. લિપિ શીલાદિત્ય ૧ લાનાં દાનપત્રમાંની લિપિને મળતી છે.
પતરામાં ફક્ત દાનપત્રના નિયમ પ્રમાણેના થેાડા ભાગ છે અને શીલાદિત્ય ૧ લા ધર્મોદાયના વર્ણનથી ભાગી ગયા છે. પરંતુ આ દાનપત્ર તેનું જ છે, એવેા મી. જેકસનના મત ખરા છે એ વાત તદ્દન નક્કી છે.
ડા. ભાંડારકરે પ્રસિદ્ધ કરેલા સંવત ૨૮૬ વશાખવદ ૬ ના, શીલાદિત્ય ૧ ( ધર્માદિત્ય )ના વળાના બીજા પતરાના અવશેષપરના આ પહેલા શબ્દો છે.ર પ્રસિદ્ધકર્તાના આધાર પ્રમાણે આ પતરૂં ૧૨” લાંષુ' અને ૮” ઉંચું છે. એટલે આપણા પતરા સાથે માપ પણ મળતું આવે છે. અને એ પતરાં જોડમાં જ છે, એ વિષે કંઈ પણ શંકા નથી. એટલે હવે આખું દાનપત્ર આપણી પાસે મેાજુદ છે. ડા. ભાંડારકરે પ્રસિદ્ધ કર્યું છે તે ઉપરથી એમ જણાય છે કે ખીજું પતરૂં સંભાળપૂર્વક રાખેલું નથી. પહેલા પતરા સાથે ફરીથી પ્રસિદ્ધ કરી શકાય તે માટે તે પતરૂં મેળવવા માટે મેં રાવ. બહાદુર વિ. વેંચ્યને વિનંતી કરી હતી, પરંતુ એમના પ્રયાસ ફળીભૂત થયા નથી. એટલે હું શરૂવાત જ પ્રસિદ્ધ કરૂ છું.
૧ એ. ઈ. વેા. ૧૧ પા. ૧૧૫–૧૧૬ પહેલુ' પતરૂ, સ્ટેનકાના ઈ. એ. વા. ૧ પા, ૪૬ બીજી પૂરૂં પ્રા. ભાંડારકર ૨ જીવા ઈ. એ. વે।. ૧ પા. ૪૫
४१
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org