________________
૨૧૦
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર' 8. સ્વસ્તિ, વિખ્યાત વલભીમાંથી ! જેનાં ચરણ-કમળ માળાની પેઠે આવૃત કરતા નૃપના મુગટથી ચુંબિત થતાં-જે સ્તંભ સરખા બળવાન કર્થી અખિલ ભૂમિને ભાર ઘારતે-જેના કે પાઝિ બલસંપન્ન ભુજથી સંહારેલા પિતાના શત્રુઓની વનિતાઓનાં નેત્રોમાંથી વહેતી અશ્રુધારાથી શાન્ત થયો હતે,જેને સદાચાર કલિકાલથી કલંકિત જગનાં પાપ હણવા અતિ શક્તિમાન હતું તે પરમ માહેશ્વર શ્રી ભટ્ટાર્ક (ભટાર્ક ) થયે. તેને પુત્ર અખંડિત વિકમને લઈને આખડલ ( ઈન્દ્ર) સમાન અને પૃથતર યશનાં વિતાન વડે સકળ દિગન્ત વિમળ થએલ હોવાથી પૃથુ સમાન મેખલાની પેઠે ચાર સાગરથી આવૃત થએલી પૃથ્વીને રક્ષનાર, અને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એ ત્રણ ભાષામાં પ્રબન્ધ રચનામાં અધિક નિપુણ--પંડિત સમાજના માનસમાં રાજહંસ સરખો, યુદ્ધના અગે શત્રઓના માતંગોના સૈન્યનાં કુમ્ભમાંથી વહેતા સંધ્યાકાળ સમા રક્ત રુધિરની અનેક ધારાઓથી પૃથ્વીના સર્વ પ્રદેશનો વિજય કરનાર, સર્વ અંતરભાગને વિજય કરનાર, દાનમાં અનુમતિ માટે પાણીના અઘંથી ભીંજાએલા કરવાળે હેવાથી કુક્ષમાંથી ઝરતા મદથી નિત્ય ભીંજાયેલી ચૂંઠવાળા કરિરાજ સમાન, અતિ સરળ અને અતિ તંગ હઈ હિમાલય સરખે,-બહ સર્વાશ્રય (બહ હિંમતવાન ) અને અતિ ગંભીર હોવાથી બહ સવાશ્રય ( બહુ પ્રાણીઓના આશ્રય) અને અતિ ગંભીર સાગર સમાન, પાદછાયા ઘણા મહાન મહીધો (રાજ) ઉપર પડતી હોવાથી અતિ મહાન મહીધરે (પર્વત ) ઉપર પડતી પાદછાયા (કિરણોની પ્રભા) વાળા સૂર્ય સમાન શ્રી ગુહસેન હતો.
તેને પુત્ર, અતુલ ગુલુસમૂહ સંપન્ન, શત્રુઓનાં ત્રિપુર( ત્રણ શહેર)નો નાશ કરનાર હોવાથી ત્રિપુર હણનાર શિવસમાન, મેખલાની પેઠે સાગરથી આવૃત પૃથ્વીને પતિ, પિતાના સર્વ સ્પધીઓની શ્રી સ્વ બાહુબળથી પિતાની પાસે ખેંચી લેનાર-વિષ્ણુ જેમ સદા લક્ષમીથી સેવાએલા-ગંગાના પ્રવાહ જેમ નિત્ય ત્રિભુવનની શુદ્ધિમાં પ્રવૃત્ત, પિતાના માતંગેની સૂંઢના સમૂહ થી અસંખ્ય શત્રુઓનાં તિમિર હણવાથી, અને સકલ ભુવનને અતિ પ્રસરેલા અને અતિ ઉજવલ યશવડે શેભાવતો હોવાથી, કિરણના સમૂહથી પ્રસરેલા તિમિર શત્રુને હણનાર અને અતિ પ્રસરેલા ઉજ્જવલ તેજ વડે અખિલ ભુવનને શેભાવનાર સૂર્ય સમાન, વિબુદ્ધ મંડળથી સેવાતો હોવાથી દેવમંડળથી સેવન થતા બ્રહ્માસમાન-જનની સર્વ અભિલાષ પૂર્ણ કરવામાં નિપુણ હેવાથી અને સંતાપ હરનાર હોવાથી સકળ નભને ભરી દેવા શકિતમાન અને સંતાપી જનેના તાપ હરનાર, વર્ષ ઋતુના મેઘ સમાન, મહા મતિ અને ધિષણુ સંપન્ન હાઈ ધિષણુ (બૃહસ્પતિ) ગુરૂવાળા અને બહુ નયનવાલા ઈન્દ્ર સમાન મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમભટ્ટારક શ્રી ધરસેન દેવ હ.
જે તે કુશળ હાલતમાં સર્વ પાપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુકતક, નિયુક્તક, મહત્તર આદિને આ શાસન કરે છે –
. તમને જાહેર થાઓ કે પરલોકમાં મારાં માતાપિતા અને મારા પુણ્યની અને મારા યશની વૃદ્ધિ અર્થે, ઈસર (ઈશ્વર) ભટ્ટના પુત્ર, દશપુરથી આવેલા, તે નગરને ચતુર્વેદી મધ્યેના, અને કૌશિક ગોત્રના, છન્ફગસબ્રહ્મચારી, ગેમિન્દ(ગેવિન્દ)ને, બલિ, ચરૂ, વિશ્વદેવ, અગ્નિહોત્ર, પંચમહાયજ્ઞ આદિ વિધિ અનુષ્ઠાન માટે કન્તા૨મામશેડશતે વિષયમાં આવેલું નન્દીઅરક ગામ જેની સીમા -પૂર્વ ગિરિવિલિગામ, દક્ષિણે મહાવીનદી, પશ્ચિમે સાગર, ઉત્તરે દેથલિ ગામ: આ ગામ રાજ પુરૂષની દખલગિરિ મુકત, પુત્ર, પૌત્ર અને વંશના ઉપગ માટે ઉપરની સીમા પ્રમાણે . .. . . . ... સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, વેઠ સહિત દે અને દ્વિજોને પૂર્વે કરેલાં દાને વર્જ કરી, ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતેના અસ્તિત્વકાળ સુધી, મેં ભક્તિથી પાણીના અર્થથી શક સં. ૮૦૦ વૈશાખ પૂર્ણિમાને દિને દાનમાં આપ્યું છે. આથી જ્યારે તે બ્રહ્મદેયના નિયમ અનુસાર આ ગામની જમીન નની ખેતી કરે, ખેતી કરાવે, ઉપભેગ કરે કે અન્યથી ઉપભેગા કરાવે અથવા અન્યને સોંપે ત્યારે કેઈએ પ્રતિબંધ કરવા નહિ ... ... ... ... ... ... ... ... • •
માધવના પુત્ર, સંધિવિગ્રહાધિકારી રેવથી લખાયું. આ મારા શ્રી ધરસેન દેવના સ્વહસ્ત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org