________________
धरसेन २ जानां ताम्रपत्रो દાન આપવાને હેતુ, દરેક બૌદ્ધ મઠને આપવામાં આવતાં દાન પ્રમાણે, બુદ્ધ ભગવાનની પૂજાના ખર્ચ માટે, પૂજ્ય ભિક્ષુઓના કપડાં, ખેરાક તથા ઔષધ વિગેરેને ખર્ચ, તથા મઠના સમારકામ વિગેરેને ખર્ચ કરવા માટે છે.
દાનની તારીખ વિષે, હું હવે તે ૨૬ ચિત્ર વદ ૨ વાંચું છું. બીજી નિશાનીના અર્થ માટે પંડિત ભગવાનલાલ ઇંદ્રજીના મતને હું મળતું આવું છું. મારા અભિપ્રાય પ્રમાણે, તેઓ પિતાની પાસેના કેટલાક ક્ષત્રપના સિક્કાઓની મદદથી, ૪૦ અને ૭૦ માટેની નિશાનીઓની મુશ્કેલી ઉકેલવામાં ફળીભૂત થયા છે.
જમીનનાં દાનમાં “દિવિર” અથવા “દિવિ પતિને ઈલ્કાબ હંમેશાં વપરાય છે, અને શાસને ઘડનારા અધિકારીઓ માટે તે ખાસ વપરાય છે. એટલે દિવિરપતિ અંદભટ અર્થ મુખ્ય કારકુન અથવા સેક્રેટરી સ્કંદમટ ” થાય છે. આ શબ્દની સંસ્કૃત વ્યુત્પત્તિ શોધી શક નથી. ખીલા આકારના લેખમાં આવે છે તે પર્શઅન “દિવિ ” “ લખાણુ” સાથે તે શબ્દનો સંબંધ કદાચ હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org