SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર સ્વસ્તિ ! ખુદીય ગામમાંના વિજયી નિવાસસ્થાનમાંથી, પિતાના શત્રુઓને બળથી નમાવનાર, મિત્રોના અતુલ પ્રતાપથી સામ્રાજ્ય પ્રાપ્ત કરનાર, સામાસામી કરેલાં અનેક યુદ્ધમાં યશ પ્રાપ્ત કરનાર, દાન, માન, (ભટ્ટારકના) યશનાં ફળ, અને પિતાની સરળતાથી પ્રાપ્ત કરેલા અનુરાગને લઈને અનુરકત મિત્ર નૃપમંડળના પ્રતાપથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર શ્રીમાન સેનાપતિ ભટ્ટારક પૂર્વે થઈ ગયે. તેને પુત્ર, જેનું નમન કરતું શિર તેના પિતાના ચરણની રજથી રક્ત બનીને પવિત્ર થયું હતું, જેના પદના નખની પ્રભા નમન કરતા શત્રુઓનાં ચૂડામણિના તેજથી કંકાઈ જતી, જેની લમી દીન અને અનાથનું પાલન કરતી હતી, તે પરમ માહેશ્વર શ્રી સેનાપતિ ધરસેન હતા. તેને અનુજ, જેને વિમળ ચૂડામણિ બધુના ચરણને નમન કરવાથી અધિક તેજસંપન્ન થયું હતું, જે મનુ આદિ(મુનિઓ)નાં જાહેર કરેલાં વિધિ વિધાનમાં યુધિષ્ઠિર સમાન હતો, જેણે ધર્મ પાલનના નિયમ પળાવ્યા, જેની રાજ્યશ્રી મહાદાનથી પવિત્ર થઈ હતી, અને જેને રાજ્યાભિષેક અખિલ પૃથ્વીના પરમસ્વામિથી જાતે જ થયો હતો તે સિહસમાન પરમ માહેશ્વર મહારાજ શ્રી દ્રોણસિંહ હતા. તેને અનુજ, પિતાના ભુજબળ વડે શત્રુઓના ગજોની ઘટાને એકાકી વિજેતા, શરણાગતને આશ્રયસ્થાન, શાસ્ત્રાર્થ અને તત્વમાં નિપુણ, પ્રણય મિત્રોને અભિલાષ અનુસાર ઈચ્છિત ફળ આપનાર કલ્પતરૂ સમાન, પરમ ભટ્ટારકને પાદાનુધ્યાત, પરમભાગવત, મહાસામન, મહાપ્રતીહાર, મહાદડનાયક, મહાકાર્તાકૃતિક, મહારાજ શ્રી ધ્રુવસેન હતે. તે કુશળ હાલતમાં સમસ્ત રાજપુરૂષ, આયુક્તક, મહત્તર, ચાટ, ભટ આદિને અનુશાસન કરે છે – તમને જાહેર થાઓ કે મારાં માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે, આ લોકમાં અને પરલેકમાં ઇચ્છિત ફળની પ્રાપ્તિ માટે, અનુપુજ્યના અન્તપર આવેલું પિપ્પલરૂખરી ગામ, રાજપુરૂના હસ્તે પ્રશ્ન પણ મુક્ત, ... ... ... ... ... ... ... સહિત, તેમાંની સર્વ આવક સહિત, ભૂમિછિદ્રના ન્યાયથી, વલભીમાં મારી ભગિનીની પુત્રી, બુદ્ધ ઉપાસિકા દુહાએ કરેલા વિહારમાં પ્રતિષ્ઠાપિત, પૂજાપાત્ર અને પૂર્ણ બુદ્ધિસંપન્ન બૌદ્ધો અને ત્યાં વસતા મુનિઓના સંઘને, વિહારના પડી ગએલા અને ભાંગી ગએલ ભાગેનું સમારકામ કરવા માટે અને ધૂપ, દીપ, તેલ અને (પૂજા માટે) પુષ્પ, અને આજારી જનનાં અન્ન, એસડ, વસ્ત્ર આદિ મેળવવા માટે, ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વીના અસ્તિત્વ કાળ સુધી ઉપભેગ માટે, મેં દાન આપ્યું છેઆથી તે ગામના માલિકને, જ્યારે તે ત્યાં ઉત્પન્ન થતું ભેગું કરે ત્યારે, કંઈ પ્રતિ બંધ કર નહિ. અમારા વંશના નૃપ, મનુષ્ય અનિત્ય છે, અને ઐશ્વર્ય ચંચળ છે, એમ માની, આ અમારા દાનને અનુમતિ આપવી. જે તે હરી લેશે, અથવા તે હરણ કરવામાં અનુમતિ આપશે, તે પંચ મહાપાપને, અને અન્ય અ૬૫ પાપને દોષી થશે. અને આને માટે વ્યાસનો કહેલે એક લેક છે-જે પિતે અથવા અન્યથી આપેલી ભૂમિ હરી લે છે, તે લક્ષ ધેનુના વધનું પાપ લે છે. મહાસામન્ત, મહાપ્રતીહાર, મહાદચ્છનાયક, મહાકાર્તાકૃતિક, મહારાજ શ્રી ધ્રુવસેનના સ્વહસ્ત ... ... ... . . કિકકથી લખાયું. સંવત. ૨૧૬. માઘ વદિ. ૩. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy