SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૨૭ વલભી રાજા ધ્રુવસેન ૧ લાનું એક દાનપત્ર સંવત ૨૧૬ માઘ કૃષ્ણપક્ષ ૩ વળામાં કળીઓને મળી આવેલું ધ્રુવસેન ૧ પહેલાનું એક દાનપત્ર ડાં અઠવાડીયા પહેલાં મારા હાથમાં મૂકવામાં આવ્યું હતું. આની પ્રતિકૃતિ તથા ભાષાન્તર નીચે આપેલાં છે. ધ્રુવસેન રાજાએ કાઢેલું એક બીજું શાસન પણ આ સાથે હતું. વલભી રાજાઓના બધા લેખે મુજબ આ પણ તારની કડીઓથી જોડી દીધેલાં બે પતરાંઓની અંદરની બાજુએ લખેલા છે. આ પતરાંએ મને મળ્યાં ત્યારે ફકત એક જ કહી રહી હતી. બીજી કડી, જેના ઉપર મુદ્રા હશે, તે તૂટી ગઈ હતી. પતરાંઓનું માપ ૧૧” ” છે. અને તે સુરક્ષિત સ્થિતિમાં છે. પણ પહેલા પતરાની ડાબી બાજુનો ઉપરનો ખૂણો કદાચ શોધી કાઢનારની કુહાડીના અકસ્માત ઘાને લીધે ભાગી ગયેલો છે. એક ચાર ઇંચ લાંબા અને એક ઇંચ પહોળા કકડાના ચાર ભાગ થઈ ગયા છે. પણ સુભાગ્યે આ કુકડા સંભાળી રાખેલા છે. પહેલાંની જેમ બીજા પતરાને નીચેના ભાગ પણ જરા ભાંગી ગયેલ છે. બીજી ઈજાઓ કરતાં આ વધારે ગંભીર છે, કારણ કે આથી મારાથી કેટલાક અક્ષરો ઓળખી શકાતા નથી. મને પતરાંઓ મળ્યાં ત્યારે તેઓની ઉંપર કોઈ ડાઈ ઠેકાણે કાદવનાં પાડાં બાઝી ગયાં હતાં, અને મોટા ભાગમાં તો ચળકાટ મારતા કાટના થર લાગી ગયા હતા. કાંઠાને ભાગ છુટો પડી ગયો હતો. ચૂનાના પાણીમાં ઘણો વખત રાખવાથી કચરો અને કાટ એટલાં બધા સાફ થઈ ગયાં કે લગભગ બધા અક્ષરે ચેખા ઓળખી શકાય તેવા થઈ ગયા. વલભીનાં પ્રસિદ્ધ થયેલાં શાસને ઉપરથી કેટલાક અસ્પષ્ટ રહેલા અક્ષરો પણ જાણી શકાય છે. પરંતુ તારીખને છેલે આંકડો મુશ્કેલી ઉભી કરે છે. વળાનાં બીજાં પતરાઓ કરતાં આ પતરાં ઉપરના અક્ષરે વધારે પ્રાચીન દેખાય છે. આખા લખમાં “ લ’ ગિરનારના જૂના લેખે પ્રમાણે લખાયેલા છે, પ્રાચીન હોવાને લીધે જ આ દાનપત્રની કિંમત છે. સિદ્ધ થયેલાં પતરાંએમાંથી ભટ્ટારકના પ્રપાત્ર ધરસેન રજાની પહેલાંનું એક પણ નથી. પરંતુ અહિ તેના બીજા પુત્રને લેખ છે. આ પતરાંઓની સાલ શક સંવતની હોવાથી વલભી સંવત ૩૧૮-૧૯ ઈ. સ. )ની શરૂવાત દ્રસિંહના રાજ્યાભિષેક સાધે સમકાલીન છે ( એટલે કે ત્યારથી થાય છે ) તે માન્યતા હું ધાયું છે કે આ પતરાંની સાલથી નિમલ થાય છે. કારણું કે આ લેખ ઉપરનાં પહેલાં બે ચિહ્નો ૨૧૦, ચક્કસ છે, એટલે જે શાક સંવત' વિવાદ ખાતર છેલ્લા આંકડો ૯ છે, એવું માનીએ તો પણ )માં લખાયેલ હોય તે ઇ. સ. ૨૯૭ થી પહેલાંને હાથ નહિ. વલભીનાં આથી પણ વધારે પતરાંઓ છેડા સમયમાં મળી આવશે એમ હું માનું છું. તેથી આ પતરાંઓ ખરેખર કયા સમયમાં લખાયાં તે ચર્ચાસ્પદ પ્રશ્ન વિષે હાલ કંઈ પણ કહીશ નહિ. પ્રોફેસર ભાંડારકરે બે પતરાંઓમાંથી કેટલાક ભાગે પ્રસિદ્ધ કર્યા છે, તે ઉપરથી જણાય છે કે વલભી રાજાએ બ્રાહ્મણોના દેવને માનતા હતા, છતાં શ્રદ્ધા તરફ સહાનુભૂતિ રાખતા હતા. એટલે ધ્રુવસેન ૧ લા એ આપેલું દાન યુરોપીય દષ્ટિએ વિચિત્ર જણાય તો પણ આપણને આશ્ચર્યજનક નહિ લાગે કે ધ્રુવસેનની બહેનની પુત્રી શૈદ્ધધર્મના અનુયાયી હતી અને તેણે બૌદ્ધ મઠ બાંધે હતો. જ્યારે તેને મા વિર્ણવ હતો. હિન્દુસ્તાનના ઈતિહાસમાં પ્રાચીન તેમ જ અર્વાચીન સમયના રાજાઓની ઉદારવૃત્તિના ઘણા દાખલાઓ મળી આવે છે. વળી આ પતરાંઓ ઉપરથી એક બીજી જાણવા જેવી હકીકત એ મળી આવે છે કે ધ્રુવસેનના સમય સુધી વલભી રાજાઓ તદ્દન સ્વતંત્ર ન હોતા, પણ કોઈ બીજા રાજાનું સાર્વભૌમત્વ સ્વીકારતા હતા. કોઈ પણ સ્વતંત્ર રાજા સામંત, પ્રતીહાર અને દણ્ડનાયક એવા ઈલ્કાબો ધારણ કરે નહિ. ઢોણા સહના રાજ્યાભિષેકથી તેના કુટુંબ અને સાર્વભૌમ સત્તા સાથે સંબંધ તટ ન હતો પણું ફક્ત તેનું નામાભિધાન ફેરવાયું હતું, એમ લાગે છે. ૧ ઇ. અ. . ૪ પા. ૧૦૪-૧૦૭ કે, છ, મ્યુલર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy