________________
પ્રકરણ ૭ મું,
યાત્રાની ભાવના જાગી. લશ્કરને યથાસ્થાને રવાના કરી મંત્રી યાત્રાએ આવ્યા. દર્શન-પૂજન કરી સ્તવનાથે બેઠેલા મંત્રીએ ત્યાં જોયું કે-એક ઉંદર દીપકમાંથી વાટ લઈને પાસે મંદિરના પરિઘરમાં છુપાઈ ગયો. મંદિરનું પરિઘર કાઠમય હતું, જીર્ણ પણ થવા આવ્યું હતું. મંત્રીએ મનથી નિર્ણય કર્યો કે, આ યુદ્ધમાંથી વિજય મેળવી હું, આ તીર્થને ઉદ્ધાર કરીશ.
શત્રુઓ સાથે ભારે યુદ્ધ થયું. મંત્રીએ વીરતા બતાવી શત્રુને સંહાર કર્યો, પણ મંત્રોને ઘણા પ્રહારો થવાથી તે ઘાયલ થયા અને અન્તિમ ઘડીઓ આવી પહોંચી, તેમ લાગવાથી પિતાના સેનાનીઓને કહ્યું કે, હું મારા સ્વામીનું કર્તવ્ય બજાવી જાઉં છું તેથી મને અત્યંત આનંદ થાય છે, પણ પરમ પવિત્ર શ્રી શત્રુંજય ગિરિરાજના ઉદ્ધારની મારી પ્રતિજ્ઞા પૂરી ન કરી શકવાને કારણે મને ઘણું દુઃખ થાય છે. ખેર, જેવી ભવિતવ્યતા ! પણ મારા પિતાવત્સલ પ્રિય પુત્રને મારે આ અન્તિમ ગિરિરાજના ઉદ્ધારને સંદેશ કહેશો.
મત્રીવર્યના અગ્નિસંસ્કારની ક્રિયા કરીને પ્રયાણ કર્યું, વિજય અને મંત્રીજીની વીરતા તથા દેહ ત્યાગના સમાચાર સાથે બન્ને પુત્રો બાહડ તથા અમ્બડને મંત્રીજીનો અંતિમ સંદેશ કહ્યો. બન્ને પુત્રોએ સંદેશ શીરામાન્ય કર્યો.
શત્રુંજયના ઉદ્ધારની તૈયારી થવા લાગી બે વર્ષમાં મંદિર તૈિયાર થઈ ગયું. પ્રતિષ્ઠાના દિવસની રાહ જોવા લાગ્યા. તેવામાં એકાએક સમાચાર આવ્યા કે પવનના સખત ઝપાટાથી મંદિરમાં ચિરાડ પડી છે. કુમારપાળ મહારાજાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org