SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય સૌરભ અષ્ટાપદ પર્વત, સમેતશિખર, પાવાપુરી, ચંપાપુરી અને ઉજજયંતગિરિ [ ગિરનાર ] આ સર્વ તીર્થોને વાંદવાથી જે પુણ્ય ફળ થાય તે કરતાં સોગણું પુણ્ય એક પુંડરીકગિરિને વંદન કરવાથી થાય છે. ૧૩ पूआकरणे पुन्नं. एगगुणं सयगुणं च पडिमाए । जिणभवणेण सहस्सं, णंतगुणं पालणे होइ ॥ १४ ॥ આ તીર્થરાજને વિષે પૂજા કરવાથી એકગણું પુણ્ય કાય છે, પ્રતિમાનું સ્થાપન કરવાથી [ પ્રતિમા બેસાડવાથી ] સેગણું પુણ્ય થાય છે, જિનભુવન કરાવવાથી હજારગણું પુણ્ય થાય છે અને એ તીર્થનું પાલન [ રક્ષણ ] કરવાથી અનંતગણું પુણ્ય થાય છે. ૧૪ पडिमं चेइहरं वा, सेत्तुंजगिरिस्स मत्थए कुणइ । भोत्तुण भरहवासं, वसइ सग्गे निरुवसग्गे ॥ १५ ॥ - જે મનુષ્ય શ્રી શત્રુ જય ગિરિના શિખર પર જિનેશ્વરની પ્રતિમા બેસાડે અથવા ચિત્ય કરાવે, તે ભરતક્ષેત્રને ભેગવીને એટલે ચક્રવર્તી થઈને પછી સ્વગ તથા મેક્ષને વિષે વાસ કરે છે. અર્થાત્ સ્વર્ગ ને મેક્ષના સુખ પામે છે. ૧૫ नवकार पोरिसीए, पुरिमडेगासणं च आयाम । पुंडरीयं च सरंतो, फलकंखी कुणइ अभत्तटुं ॥ १६ ॥ छहमदसमदुवालसाणं, मासद्धमासखमणाणं । तिगरणसुद्धो लहइ, सेत्तुंचं संमरंतो अ ॥ १७ ॥ ઉત્તમ ફળની આકાંક્ષાવાળે જે મનુષ્ય પુંડરીકગિરિનું મરણ કરતો છતે નવકારશી, પિરિસી, પરિમ, એકાસણું, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy