SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુ ંજય સૌરભ બીજે દિવસે તે મારવાડી કાશીનું જ જમણુ થયું. અને ડોશીમાની શ્રદ્ધાની, અને તેમના સંધના સ્વામિ વાત્સલ્યની વાત પાલીતાણાના બચ્ચા ખચ્ચાઓમાં થવા લાગી. બહાદુર જુવાનને ઓળખો છે ? ૭૮ ગ્રીષ્મૠતુના દિવસેા હતા. અપેાના સમય, તાપ અસહ્ય હતા, તે વખતે એક યુવાન ધાયેલાં કપડાં અને હાથમાં કપડાં ધોવાના મોટા ધોકા લઇને ઘેર આવ્યા. અને જરા આરામ લેવા ઘરમાં આડા પડયો. તેનું નામ હતુ વિક્રમસી. એ યુવક ભાવસાર જ્ઞાતિના ટીમાણીયા ગોત્રના હતા. શત્રુંજયગિરિની શીતળ-છાયા પાલીતાણામાં રહેતા હતે. હજી બ્રહ્મચારી હતા. ભાઈ અને ભાભીની સાથે રહેતા હતા. કપડાં રંગવાનું કામ કરતા, એટલે હુંમેશાં નદીએ કપડાં ધાવા જવાનું રહેતું. એક વખત ખૂબ ભૂખ લાગેલી, હાથ પગ ધોઈ રસેાડામાં ગયા, તેા રસાઇને વાર હતી. થાક અને ભૂખથી અકળાયેલા જુવાનને ગુસ્સો આવી ગયા. અપેાર સુધી રસેાઇ નથી થઈ, ઘેર બેઠાં બેઠાં એટલુ યે નથી થતું ? ખીજું કામ પણ શુ છે ? હવેથી એ નહિ ચાલે” ભાભી પણ દિયરના આવા તીખા શબ્દો સહન ન કરી શકી. “ આહો ! રસાઈ ને ઘેાડી વાર લાગી એનાં તા ગુસ્સા આત્માને ચડ્યો. તે એટલુ બધુ જોર શેનું મતાવા છે ? હજી તેા તમારા ભાઈ કામ કરે છે, અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy