________________
સર્વમાન્ય ધર્મ
(ચોપાઈ)
ધર્મતત્ત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર.
ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, ધ્રો પ્રાણીને, દળવા દોષ.
સત્ય શીખ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ.
પુષ્પપાંખડી જ્યાં દૂભાય, નિવરની ત્યાં નહીં આજ્ઞાય; સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.
૨૦
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
શ્રીરાજવંદના