________________
૩૮
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું કરે છે, તેને લક્ષ આવતે જ નથી. નિરર્થક જ્યાં-ત્યાં જોવાની જ આતુરતા, અભ્યાસ અને જ્યાં-ત્યાં જેમ તેમ બોલ્યા જ કરવાની કુટેવથી કેવાં કેવાં કર્મબંધન થઈ રહ્યાં છે અને પિતાને કેવી હાનિ થઈ રહી છે તેને વિચાર સરખેય આવતું નથી ! એ જ મેહનું પ્રાબલ્ય છે.
જ્ઞાનીઓએ એ પાંચેય ઇન્દ્રિય અને મનને વશ કરીને સર્વોત્તમ સુખમય પરમાત્મદશા પ્રગટાવી છે. નેત્રોથી આ અસાર અને સ્વપ્નવત્ જગતને જોવાનું બંધ કરી, અંતરમાં દિવ્ય વિચાર અને જ્ઞાનચક્ષુ ખેલી, અનંત ઐશ્વર્યશાળી સુખનિધાન, અજરામર એવા પિતાના આત્મદેવનું દર્શન કર્યું છે. “દશ્યને અદશ્ય કર્યું અને અદશ્યને દશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્યવીર્ય વાણીથી કહી શકાયું યોગ્ય નથી.” ધન્ય છે તે ઇન્દ્રિયે અને મનનો જય કરનાર પરાક્રમશાળી જ્ઞાની પુરુષોને પુરુષાર્થ પરાક્રમને !
વળી તે જ્ઞાનીઓએ મૌનવ્રતના અભ્યાસથી વાણીને સંયમ સાથે અને પરિણામે ત્રણ જગતને કલ્યાણકારી પાંત્રીશ અતિશયયુક્ત અલૌકિક દિવ્ય વાણીરૂપ બેધવૃષ્ટિથી જગત જીનું શ્રેય કરી સ્વપરને અનંત ઉપકાર કર્યો !
એ મહાપુરુષોનાં ચરિત્રોનાં અવલંબને, વચનને પ્રભુસ્તુતિ, ભક્તિ, સ્વાધ્યાય આદિ સ્વાત્મહિતના કાર્યમાં જોડાય અને નયનને પ્રભુ દર્શનમાં કે શ્રુતજ્ઞાનનાં પઠન પાઠનમાં કે જીવરક્ષા માટે યત્નામાં સદુપયેાગ થાય, બનેને સંયમ થાય તેમ થતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org