SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું પાચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીતિ થઈ છે, તે મેક્ષના ઉપાયની પણ એ રીતે તેને સહજમાં પ્રતીતિ થશે. અત્રે “થશે’ અને ‘સહજ’ એ બે શબ્દ સદ્ગુરુએ કહ્યા છે તે જેને પાંચે પદની શંકા નિવૃત્ત થઈ છે તેને મોક્ષેપાય સમજાવે કંઈ કઠણ જ નથી એમ દર્શાવવા, તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુપણું જાણું અવશ્ય તેને મેપાય પરિણમશે એમ ભાસવાથી (તે વચન) કહ્યાં છે; એમ સગુરુનાં વચનને આશય છે. ૯૭ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮ કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મોક્ષભાવ છે તે જીવના પિતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનને સ્વભાવ અંધકાર જેવું છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળને અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાન પ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે. ૯૮ જે જે કારણું બંધનાં, તેહ બંધને પંથ; તે કારણે છેદક દશા, મેક્ષપંથ ભવઅંત. ૯ જે જે કારણે કર્મબંધનાં છે, તે તે કર્મબંધને માર્ગ છે અને તે તે કારણેને છેદે એવી જે દશા છે તે મેક્ષને માર્ગ છે, ભવને અંત છે. ૯૯ રાગ, દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષને પંથ. ૧૦૦ રાગ, દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે, અર્થાત્ એ વિના કર્મને બંધ ન થાય તેની જેથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005409
Book TitleKavya Amrut Zarna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1975
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy