________________
૨૪૪
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં જડચેતનના સ્વભાવ સંગાદિ સૂક્ષ્મસ્વરૂપને અત્રે ઘણે વિચાર સમાય છે, માટે આ વાત ગહન છે, તે પણ તેને સાવ સંક્ષેપમાં કહી છે. ૮૬
તેમ જ, ઈશ્વર જે કર્મફળદાતા ન હોય અથવા જગતકર્તા ન ગણીએ તે કર્મ ભેગવવાનાં વિશેષ સ્થાનકે એટલે નરકાદિ ગતિ આદિ સ્થાન કયાંથી હેય, કેમ કે તેમાં તે ઈશ્વરના કર્તાત્વની જરૂર છે, એવી આશંકા પણ કરવા નથી, કેમ કે મુખ્યપણે તે ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ દેવક છે અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ નરક છે, શુભાશુભ અધ્યવસાય તે મનુષ્ય તિર્યંચાદિ છે, અને સ્થાન વિશેષ એટલે ઊર્વલેકે દેવગતિ, એ આદિ ભેદ છે. જીવસમૂહનાં કર્મ દ્રવ્યનાં પણ તે પરિણામવિશેષ છે એટલે તે તે ગતિએ જીવના કર્મ વિશેષ પરિણામાદિ સંભવે છે.
આ વાત ઘણી ગહન છે. કેમકે અચિંત્ય એવું જીવવીર્ય, અચિંત્ય એવું પુગલસામર્થ્ય એના સંગ વિશેષથી લેક પરિણમે છે. તેને વિચાર કરવા માટે ઘણે વિસ્તાર કહેવો જોઈએ. પણ અત્રે તે મુખ્ય કરીને આત્મા કર્મને ભક્તા છે એટલે લક્ષ કરાવવાનું હોવાથી સાવ સંક્ષેપે આ પ્રસંગ કહ્યો છે. (૮૬)
શંકા-શિષ્ય ઉવાચ [જીવને તે કર્મથી મેક્ષ નથી, એમ શિષ્ય કહે છે –] કર્તા ભક્તા જીવ છે, પણ તેને નહિ મોક્ષ વીત્યે કાળ અનંત પણે, વર્તમાન છે દોષ. ૮૭ કર્તા લેતા જીવ છે, પણ તેથી તેને મેક્ષ થવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org