________________
૨૭૪
નિત્યક્રમ મિથ્યા મોહ અજ્ઞાનકો, ભરિયો રોગ અથાગ; વૈદ્યરાજ ગુરુ શરણથી, ઔષઘ જ્ઞાન વિરાગ. ૧૧ જે મેં જીવ વિરાઘિયા, સેવ્યાં પાપ અઢાર; પ્રભુ તુમારી સાખર્ચે, વારંવાર ધિક્કાર. બુરા બુરા સબકો કહે, બુરા ન દીસે કોઈ જો ઘટ શોઘે આપનો, મોસું બુરા ન કોઈ. ૧૩ કહેવામાં આવે નહીં, અવગુણ ભર્યા અનંત, લિખવામાં ક્યું કર લિખું, જાણો શ્રી ભગવંત. ૧૪ કરુણાનિથિ કૃપા કરી, કર્મ કઠિન મુઝ છેદ, મિથ્યા મોહ અજ્ઞાનકો, કરજો ગ્રંથિ ભેદ. ૧૫ પતિત ઉદ્ધારન નાથજી, અપનો બિરુદ વિચાર; ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર. ૧૬ માફ કરો સબ માહરા, આજ તલકના દોષ; દીનદયાલુ દો મુઝે, શ્રદ્ધા શીલ સંતોષ. ૧૭ આતમનિંદા શુદ્ધ ભની, ગુનવંત વંદન ભાવ; રાગદ્વેષ પતલા કરી, સબસે ખીમત “ખીમાવ. ૧૮ છૂટું પિછલાં પાપસે, નવાં ન બાંધું કોઈ; શ્રી ગુરુદેવ પ્રસાદસેં, સફલ મનોરથ હોઈ. ૧૯ પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રત ઘાર; અંત સમય આલોચના, કરું સંથારો સાર. ૨૦ તીન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે, નિત મત્ર;
શક્તિ સાર વર્તે સહી, પાવે શિવસુખ ઘa. ૨૧ ૧. ક્ષમી ક્ષમાવો ૨. અનુસાર, પ્રમાણે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org