________________
નિત્યક્રમ
૧૯૧ શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાનજિન સ્તવન (૨૦)
(૧) શ્રી સીમંધર જિન સ્તવન
સિદ્ધચક્ર પદ વંદો–એ દેશી) શ્રી સીમંઘર જિનવર સ્વામી, વિનતડી અવઘારો; શુદ્ધઘર્મ પ્રગટ્યો જે તુમચો, પ્રગટો તેહ અમારો રે
સ્વામી, વીનવીએ મન રંગે. ૧ જે પરિણામિક ઘર્મ તુમારો, તેહવો અમચો ઘર્મ, શ્રદ્ધાભાસન રમણ વિયોગે,વળગ્યો વિભાવ અઘમરે સ્વામી,વીર વસ્તુ સ્વભાવ સ્વજાતિ તેહનો, મૂલ અભાવ ન થાય; પરવિભાવ અનુગત પરિણતિથી, કર્મે તે અવરાય રે સ્વામી,વી-૩ જે વિભાવ તે પણ નૈમિત્તિક, સંતતિભાવ અનાદિ, પરનિમિત્ત તે વિષય સંગાદિક, તે સંયોગે સાદિ રે સ્વામી,વી૪ અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પરનો; શુદ્ધનિમિત્ત રમે જબ ચિઘન, કર્તા ભોક્તા ઘરનોરે સ્વામી,વી૦૫ જેના ઘર્મ અનંતા પ્રગટ્યા, જે નિજપરિણતિ વરિયો; પરમાતમ જિનદેવ અમોહી, જ્ઞાનાદિક ગુણ દરિયોરે સ્વામી,વી-૬ અવલંબન ઉપદેશક રીતે, શ્રી સીમંઘર દેવ; ભજીએ શુદ્ધ નિમિત્ત અનોપમ, તજીએ ભવભય ટેવરે સ્વામી,વી૭ શુદ્ધ દેવ અવલંબન કરતાં, પરહરિયે પરભાવ; આતમઘર્મ રમણ અનુભવતાં, પ્રગટે આતમભાવ રે સ્વામી,વી૦૮ : આતમગુણ નિર્મળ નીપજતાં, ધ્યાન સમાધિ સ્વભાવે; પૂર્ણાનંદ સિદ્ધતા સાથી, દેવચંદ્ર પદ પાવે રે સ્વામી,વી૦૯
૧. આત્મા. ૨. કર્તા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org