________________
૧૭૫
૫
નિત્યક્રમ નિરવહેશો જો પ્રીત અમારી,
કળિ કીરત થાશે તમારી રે. સુ. ઘુત્તાઈ ચિત્તડે નહિ ઘરશો,
કાંઈ અવળો વિચાર ન કરશો રે; સુત્ર જિમ તિમ કરી સેવક જાણજો,
અવસર લહી સુઘ લહેજો રે. સુ આ સમે કહીએ છીએ તુમને,
પ્રભુ દીજે દિલાસો અમને રે, સુ. મોહનવિજય સદા મનરંગે,
ચિત્ત લાગ્યો પ્રભુને સંગે રે. સુ
(૨૨) શ્રી નેમિનાથ સ્વામી
શ્રી આનંદઘનજીકૃત સ્તવન
(રાગ મારુણી–ઘના ઢોલા–એ દેશી) અષ્ટભવાંતર વાલહી રે, તું મુજ આતમરામ, મનરાવાલા; મુક્તિ સ્ત્રીશું આપણે રે, સગપણ કોઈ ન કામ. મ. ૧ ઘર આવો હો વાલમ ઘર આવો, મારી આશાના વિશરામ; મ રથ ફેરો હો સાજન રથ ફેરો, સાજન મારા મનોરથ સાથ. મ. ૨ નારી પખો શો નેહલો રે, સાચ કહે જગનાથ; મ0 ઈશ્વર” અર્થાગે ઘરી રે, તું મુજ ઝાલે ન હાથ. મ. ૩ પશુજનની કરુણા કરી રે, આણી હૃદય વિચાર; મ. માણસની કરુણા નહીં રે, એ કુણ ઘર આચાર. મ. ૪ ૧. કળિકાળમાં. ૨. કીર્તિ. ૩. મહાદેવ, શંકર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org