________________
નિત્યક્રમ
હો રૂપવિજયનો શિષ્ય જો,
મોહનને મન લાગી માયા તાહરી રે લો.
૧૭૧
(૨૧) શ્રી નમિનાથ સ્વામી શ્રી આનંદઘનજીકૃત સ્તવન
ષટ્ દરિશણ જિન અંગ ભણીજે, ન્યાસષડંગ જો સાથે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, ષટ્ દિશણ આરાઘે ૨.૫૦ ૧ જિન સુરપાદપ પાય વખાણું, સાંખ્ય જોગ દોય ભેદે રે; આતમસત્તા વિવરણ કરતાં, લહો દુગ અંગ અખેદે ૨.૫૦૨ ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર દોય કર ભારી રે; લોકાલોક અવલંબન ભજીએ, ગુરુગમથી અવઘારી રે.૪૦૩
લોકાયતિક કૂખ જિનવરની, અંશ વિચાર જો કીજે રે; તત્ત્વ વિચાર સુધારસઘારા, ગુરુગમ વિણ કેમ પીજે રે?૫૦૪
જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે; અક્ષર ન્યાસ ઘરા આરાધક, આરાઘે ઘરી સંગે રે.૫૦ ૫ જિનવરમાં સઘળાં શિણ છે, દર્શને જિનવર ભજના રે; સાગરમાં સઘળી તિટની સહી તિટનીમાં સાગર ભજના રે.૫૦૬ જિનસ્વરૂપ થઈ જિન આરાઘે, તે સહી જિનવર હોવે રે; ભૂંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે .૫૦૭ ચૂર્ણી ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપર અનુભવ રે; સમય પુરુષનાં અંગ કહ્યાં એ, જે છેદે તે દુર્ભવિ રે.ષ૦૮
મુદ્રા બીજ ઘારણા અક્ષર, ન્યાસ અરથ વિનિયોગે રે; જે ધ્યાવે તે નવિ વેંચીજે, ક્રિયા અવંચક ભોગે રે.ષ૦ ૯
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org