________________
૬
નિત્યક્રમ મહત્તત્ત્વ મહનીયમહઃ મહાઘામ ગુણધામ, ચિદાનંદ પરમાતમા, વંદો રમતા રામ.
૭. શ્રી સદ્દગુરુભક્તિ રહસ્ય
(ભક્તિના વશ દોહરા) હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ ? ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં, આપ તણો વિશ્વાસ વૃઢ, ને પરમાદર નાહીં. ૩ જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ, કેવળ અર્પણતા નથી, નથ આશ્રય અનુયોગ. ૪ ‘હું પામર શું કરી શકું એવો નથી વિવેક, ચરણ શરણ ઘીરજ નથી, મરણ સુધીની છેક. ૫ અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ, અંશ ન એક સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૬ અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ, કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દ્રઢ ભાન, સમજ નહીં નિજ ઘર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદા ઘર્મ, તોય નહીં વ્યાકુળતા, જાઓ પ્રભુ મુજ કર્મ. ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org