________________
૧૪૮
નિત્યક્રમ હાંરે પ્રભુ લાગી મુજને તાહરી માયા જોર જો, અળગા રે રહેવાથી હોય ઓસાંગળો રે લો; હાંરે કુણ જાણે અંતરગતિની વિણ મહારાજ જો, હેજે રે હસી બોલો છંડી આમળો રે લો. ૫ હાંરે તારે મુખને મટકે અટક્યું મારું મન જો, આંખલડી અણિયાળી કામણગારડી રે લો; હાંરે મારાં નયણાં લંપટ જોવે ખિણ ખિણ તુજ જો, રાતે રે પ્રભુરૂપે ન રહે વારિયા રે લો. ૬ હાંરે પ્રભુ, અળગા તોપણ જાણજો કરીને હજૂર જો, તાહરી રે બલિહારી હું જાઉં વારણે રે લો; હાંરે કવિ રૂપવિબુથનો મોહન કરે અરદાસ જો, ગિરુઆથી મન આણી ઊલટ અતિ ઘણો રે લો. ૭
(૧૬) શ્રી શાંતિનાથ સ્વામી - શ્રી આનંદઘનજીકૃત સ્તવન
(રાગ મલ્હાર-ચતુર ચોમાસું પડિક્કમી–એ દેશી) શાંતિ જિન, એક મુજ વિનતિ, સુણો ત્રિભુવનરાય રે; શાંતિસ્વરૂપ કિમ જાણીએ, કહો મન કિમ પરખાય રે. શાં૦૧ ઘન્ય તું આતમ જેહને, એવો પ્રશ્ન અવકાશ રે; ઘીરજ મન ઘરી સાંભળો, કહું શાંતિ પ્રતિભાસ રે. શાં૦૨ ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે; તે તેમ અવિતથ્થ સદ્દહે, પ્રથમ એ શાંતિપદ સેવ રે. શાં ૩ આગમઘર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આઘાર રે. શાં૦૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org