________________
નિત્યક્રમ
૧૩૧ નિજ જ્ઞાને કરી શેયનો, જ્ઞાયક જ્ઞાતા પદ ઈશ રે; દેખે નિજ દર્શન કરી, નિજ દ્રશ્ય સામાન્ય જગીશ રે.મુ-૨ નિજ રમે રમણ કરો, પ્રભુ ચારિત્રે રમતા રામ રે, ભોગ્ય અનંતને ભોગવો, ભોગે તેણે ભોક્તા સ્વામ રે.મુ૦૩ દેય દાન "નિત દીજતે, અતિ દાતા પ્રભુ સ્વયમેવ રે, પાત્ર તુમ્હ નિજ શક્તિના, ગ્રાહક વ્યાપકમય દેવ રે. મુ૦૪ પરિણામિક કારજ તણો, કર્તા ગુણ કરણે નાથ રે, અકિય અક્ષય સ્થિતિમયી, નિકલંક અનંતી આથ રે.મુ૦૫ પરિણામિક સત્તા તણો, આવિર્ભાવ વિલાસ નિવાસ રે, સહજ અકૃત્રિમ અપરાશ્રયી, નિર્વિકલ્પ ને નિઃપ્રયાસ રે.મુ૦૬ પ્રભુ પ્રભુતા સંભારતાં, ગાતાં કરતાં ગુણગ્રામ રે; સેવક સાઘનતા વરે, નિજ સંવર પરિણતિ પામ રે.મુ૦૭ પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્ત્વનો ધ્યાતા થાય રે, તત્ત્વરમણ એકાગ્રતા, પૂરણ તત્ત્વ એહ સમાય રે.મુ૦૮ પ્રભુ દીઠે મુજ સાંભરે, પરમાતમ પૂર્ણાનંદ રે; દેવચંદ્ર જિનરાજના, નિત્ય વંદો પય અરવિંદ રે. મુ૦૯
શ્રી યશોવિજયજીકૃત સ્તવન
(કર્મ ન છૂટે રે પ્રાણિયા-એ દેશી) તમે બહુ મૈત્રી રે સાહેબા, મારે તો મન એક; તુમ વિણ બીજો રે નવિ ગમે, એ મુજ મોટી રે ટેક.
- શ્રી શ્રેયાંસ કૃપા કરો. ૧ ૧. નિત્ય, સદા, ૨. લક્ષ્મી. ૩. પ્રગટ ભાવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org